વડોદરાઃ યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં (Garib Kalyan Sammelan Vadodara ) વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત (Foreign Minister S Jaishankar visited Vadodara) રહ્યા હતા. અહીં તેમણે આતંકવાદ અંગે મહત્વનું નિવેદન (S Jaishankar on Terrorism) આપ્યું હતું. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈ (S Jaishankar on Terrorism) ચાલી રહી છે અને એ ચાલુ જ રહેશે. પહેલાંનો સમય જતો રહ્યો. હવે તો સરકાર કડક કાર્યવાહી કરશે. આતંકવાદને નાબૂદ કરવાની મોદી સરકારની નેમ છે. આ વાત આતંકવાદીઓ પણ જાણે છે. વિદેશ પ્રધાને વધુમાં ઉંમેર્યું હતું કે, આ સરકાર આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવા મક્કમ છે.
આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ UNને આપી સલાહ, ચાણાક્ય અને રવિન્દ્રનાથ ટાગોર કર્યા યાદ- જૂઓ વીડિયો..
દક્ષિણ કાશ્મીરમાં મહિલા પ્રોફેસરની થઈ હત્યા - આપને જણાવી દઈએ કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા હેઠળ (Assassination of a female professor in South Kashmir) આવતા ગોપાલપોરામાં આતંકવાદીઓએ હિન્દુ પ્રોફેસરની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસે આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન ચલાવ્યું છે. જોકે, આ હુમલાની જવાબદારી અત્યારે કોઈ આતંકવાદી સંગઠને નથી લીધી. જ્યારે મૃતક પ્રોફેસરનું નામ રજની વાલા હતું. તેઓ જમ્મુના સાંબા જિલ્લાના ગામ નાનકે ચક ગામના રહેવાસી હતાં. તેઓ ચવલગામ કુપવાડામાં એક ભાડાના મકાનમાં રહેતાં હતાં. બીજી તરફ મહિલા પ્રોફેસરની હત્યાના સમાચાર સાંભળીને શાળાની કેટલીક વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી.
આ પણ વાંચો- UNGAમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન અંગે કહી આ મોટી વાત, જૂઓ વીડિયો...
ભારત અબ રૂકેગા નહીં- આપને જણાવી દઈએ કે, ભારત દેશ સતત આતંકવાદ સામે લાલ આંખ કરતું રહ્યું છે. ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદ એ ગંભીર મુદ્દો બની (Terrorism is a serious issue) ગયો છે. તેવામાં વિદેશ પ્રધાન વડોદરાની મુલાકાતે હતાં. તો તેમણે આતંકવાદ અંગે પૂછતાં (S Jaishankar on Terrorism) જણાવ્યું હતું કે, આતંકવાદ સામે હંમેશા ભારતનું કડક વલણ રહ્યું છે. આપણું ભારત પહેલાનું ભારત નથી. હવે આપણો દેશ પણ જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.