ETV Bharat / city

વડોદરા પાણીગેટ વિસ્તારમાં બની આગની ઘટના, કોઇ જાનહાનિ નહી

author img

By

Published : Jan 28, 2021, 4:38 PM IST

Updated : Jan 28, 2021, 8:09 PM IST

વડોદરા શહેરના-પાણીગેટ વિસ્તારમાં આગની ઘટના બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં ઝૂંપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

વડોદરા પાણીગેટ વિસ્તારમાં બની આગની ઘટના, કોઇ જાન
વડોદરા પાણીગેટ વિસ્તારમાં બની આગની ઘટના, કોઇ જાન
  • વડોદરાના ઠેકરનાથ સ્મશાન નજીક ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના
  • ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો
  • તમામ ઘરવખરી બળીને ખાખ થઇ

વડોદરાઃ શહેરના પાણીગેટ વિસ્તારમાં સ્થિત અજબડી મીલ પાસે આવેલા ઠેકરનાથ સ્મશાન નજીકની એક ઝૂંપડામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આગના આ બનાવમાં ઝૂંપડામાં રહેલા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી.

વડોદરા પાણીગેટ વિસ્તારમાં બની આગની ઘટના, કોઇ જાનહાની નહી

ઝૂંપડામાં રહેલા તમામ ઘરવખરી બળીને ખાક થઈ

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા અજબડી મીલ નજીકના ઠેકરનાથ સ્મશાન પાસે આવેલા ઝૂંપડપટ્ટીના એક ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે પાણીગેટ ફાયર બ્રિગેડમાં ટેલિફોનિક જાણ કરાતા પાણીગેટ ફાયર સ્ટેશનના 3 ફાયર ફાઈટર મશીન ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ આગને કાબૂમાં લીધી

પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી ઝૂંપડામાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જેમાં અંદાજે 3થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આગનો આ બનાવ કઈ રીતે બન્યો તેની ચોક્કસ માહિતી નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

  • વડોદરાના ઠેકરનાથ સ્મશાન નજીક ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના
  • ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો
  • તમામ ઘરવખરી બળીને ખાખ થઇ

વડોદરાઃ શહેરના પાણીગેટ વિસ્તારમાં સ્થિત અજબડી મીલ પાસે આવેલા ઠેકરનાથ સ્મશાન નજીકની એક ઝૂંપડામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આગના આ બનાવમાં ઝૂંપડામાં રહેલા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી.

વડોદરા પાણીગેટ વિસ્તારમાં બની આગની ઘટના, કોઇ જાનહાની નહી

ઝૂંપડામાં રહેલા તમામ ઘરવખરી બળીને ખાક થઈ

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા અજબડી મીલ નજીકના ઠેકરનાથ સ્મશાન પાસે આવેલા ઝૂંપડપટ્ટીના એક ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે પાણીગેટ ફાયર બ્રિગેડમાં ટેલિફોનિક જાણ કરાતા પાણીગેટ ફાયર સ્ટેશનના 3 ફાયર ફાઈટર મશીન ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ આગને કાબૂમાં લીધી

પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી ઝૂંપડામાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જેમાં અંદાજે 3થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આગનો આ બનાવ કઈ રીતે બન્યો તેની ચોક્કસ માહિતી નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

Last Updated : Jan 28, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.