ETV Bharat / city

સુરતના મોટા વરાછામાં દીવાલ ધસી પડતાં 8 મજૂરો દબાયાં, 5નાં મોત - સુરત મેયર હેમાલી ભોગાવાળા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સિલ્વાસા પેરેડાઈઝમાં બિલ્ડિંગનું બાંધકામ ચાલતું હતું, ત્યાં દીવાલ ધસી પડી હતી. જેમાં 8 મજૂરો 20 ફૂટ અંદર જમીનમાં દટાઈ ગયાં હતાં. ફાયર વિભાગની 10 ગાડીઓએ પહોંચીને ટીમે રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં 3 મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે 5 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે.

સુરતના મોટા વરાછામાં દીવાલ ધસી પડતાં 8 મજૂરો દબાયાં, 5નાં મોત
સુરતના મોટા વરાછામાં દીવાલ ધસી પડતાં 8 મજૂરો દબાયાં, 5નાં મોત
author img

By

Published : Mar 23, 2021, 6:47 PM IST

  • સુરતમાં બાંધકામ સાઈટની દીવાલ ધસી પડી
  • 7 મજૂરો દટાયાં, 5નાં મોત નીપજ્યાં
  • 3 ઇજાગ્રસ્ત મજૂરોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયાં

સુરતઃ મોટા વરાછાના અબ્રાહમ ખાતે આ ઘટના બની હતી જેમાં 8 મજૂરો દબાઈ ગયાં હતાં. આ ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યાં છે જેમાં દીવાલ પડી છે ત્યાં મજૂરો ઘટનાસ્થળેથી ભાગતાં નજરે પડી રહ્યાં છે.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે

આ પણ વાંચોઃ SMC વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આવી ઘટના અટકાવવા જરૂરી પગલા લેવા કર્યું સૂચન

તમામને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ઘટનાસ્થળેથી 2 મજૂર જીવંત હાલતમાં મળતાં તેઓને સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને જે મૃતદેહ મળ્યાં છે તે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.

સુરત મેયરઃ ઘટનાની તપાસ કરાશે

જોકે ઘટનાના 4 કલાક બાદ સુરતના મેયર હેમાલીબેન ભોગાવાળા ઘટનાસ્થળે આવીને સ્થિતિ સમીક્ષા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ સુરતમાં બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતા 5ના મોત, 2 ઇજાગ્રસ્ત

  • સુરતમાં બાંધકામ સાઈટની દીવાલ ધસી પડી
  • 7 મજૂરો દટાયાં, 5નાં મોત નીપજ્યાં
  • 3 ઇજાગ્રસ્ત મજૂરોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયાં

સુરતઃ મોટા વરાછાના અબ્રાહમ ખાતે આ ઘટના બની હતી જેમાં 8 મજૂરો દબાઈ ગયાં હતાં. આ ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યાં છે જેમાં દીવાલ પડી છે ત્યાં મજૂરો ઘટનાસ્થળેથી ભાગતાં નજરે પડી રહ્યાં છે.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે

આ પણ વાંચોઃ SMC વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આવી ઘટના અટકાવવા જરૂરી પગલા લેવા કર્યું સૂચન

તમામને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ઘટનાસ્થળેથી 2 મજૂર જીવંત હાલતમાં મળતાં તેઓને સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને જે મૃતદેહ મળ્યાં છે તે પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.

સુરત મેયરઃ ઘટનાની તપાસ કરાશે

જોકે ઘટનાના 4 કલાક બાદ સુરતના મેયર હેમાલીબેન ભોગાવાળા ઘટનાસ્થળે આવીને સ્થિતિ સમીક્ષા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ સુરતમાં બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતા 5ના મોત, 2 ઇજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.