સુરતઃ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળામાં શુક્રવારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આયોજકોની ઘોર બેદરકારી જોવા મળી છે. અડાજણ ખાતે આવેલી 152 નંબરની શાળાની 100થી વધુ વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમે સુરતના કમિશ્નર અજય તોમર દ્વારા 14 ઓક્ટોબર સુધી ધારા 144ના જાહેરનામાનો પણ ભંગ કર્યો છે.
સુરતમાં સરકારી ગાઈડલાઇન્સના ધજાગરા, મનપા સંચાલિત શાળામાં યોજાયો કાર્યક્રમ
કોરોના કાળમાં સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી જોવા મળી છે. આ શિક્ષણ સમિતિ દ્વારા સરકારની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સુરતમાં સરકારી ગાઈડલાઇન્સના ધજાગરા
સુરતઃ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળામાં શુક્રવારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આયોજકોની ઘોર બેદરકારી જોવા મળી છે. અડાજણ ખાતે આવેલી 152 નંબરની શાળાની 100થી વધુ વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમે સુરતના કમિશ્નર અજય તોમર દ્વારા 14 ઓક્ટોબર સુધી ધારા 144ના જાહેરનામાનો પણ ભંગ કર્યો છે.