ETV Bharat / city

વસિષ્ઠ શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાને મળવા લખ્યા 10,000 પોસ્ટકાર્ડ - નેશનલ પોસ્ટલ ડે

તારીખ 9 ઑક્ટોબર એટલે કે, નેશનલ પોસ્ટલ ડે ના દિવસે શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્ડ લખ્યા છે. સુરતના કામરેજમા વાવ ખાતે આવેલ વસિષ્ઠ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે 10હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે. બાળકો પોતાના મનમાં મુંઝવતા સવાલનું સમાધાન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાગળ દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરવાનો વિનર્મ પ્રયત્ન કર્યો છે.

વસિષ્ઠ શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાને મળવા લખ્યા 10હજાર પોસ્ટકાર્ડ
વસિષ્ઠ શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાને મળવા લખ્યા 10હજાર પોસ્ટકાર્ડ
author img

By

Published : Oct 11, 2021, 5:12 PM IST

  • શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાનને મળવા લખ્યા 10 હજાર કાર્ડ
  • કાગળ પર લખવાની લુપ્ત પરંપરાને બાળકોએ પત્ર લખી તાજી કરી
  • પીએમ મોદી પાસે રૂબરૂ મળવા માટેનો સમય માગ્યો



સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલ વસિષ્ઠ શાળાના પરિસરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. વિધાર્થીઓ દ્વારા નેશનલ પોસ્ટલ ડે(National Postal Day)એ મનનો ભાવ વ્યક્ત કર્યો છે. આ રીતે વિધાર્થીઓ દ્વારા નેશનલ પોસ્ટલ ડે ની સર્જનાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ટેકનોલોજીના સમયમાં બાળકોએ કાગળને કલમ પકડી

શાળાના માર્ગદર્શન તળે આ રસભર પ્રવૃત્તિમાં ધોરણ 3થી 12ના 10હજાર જેટલા વિધાર્થી ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો, સાંપ્રત સમયમાં જ્યારે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ જેવી ટેકનોલોજીને કારણે કાગળ લખવાની પરંપરા લુપ્ત થઈ ચૂકી છે ત્યારે બાળકોમાં કાગળ લખવાની કળા વિકશે, સર્જાત્મકતા ખીલે તે માટે શાળામાં અવારનવાર આ પ્રકારનું આયોજન થતું હોય છે,

મનમાં મુંઝવતા સવાલનું સમાધાન માટે પીએમને પત્ર લખ્યા

પરંતુ આ વર્ષે આ સમ્રગ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે બાળકો પોતાના મનમાં મુંઝવતા સવાલનું સમાધાન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાગળ દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરવાનો વિનર્મ પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડમાં વિધાર્થીએ પોતાના પ્રશ્નનોની ચર્ચા કરવા માટે પીએમ મોદી પાસે રૂબરૂ મળવા માટેનો કાર્ડ દ્વારા સમય માગ્યો હતો.

આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ પ્રધાને ચલણી નોટમાંથી ગાંધીનો ફોટો હટાવવા કરી માંગ, જાણો કેમ...

આ પણ વાંચોઃ ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો

  • શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાનને મળવા લખ્યા 10 હજાર કાર્ડ
  • કાગળ પર લખવાની લુપ્ત પરંપરાને બાળકોએ પત્ર લખી તાજી કરી
  • પીએમ મોદી પાસે રૂબરૂ મળવા માટેનો સમય માગ્યો



સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલ વસિષ્ઠ શાળાના પરિસરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. વિધાર્થીઓ દ્વારા નેશનલ પોસ્ટલ ડે(National Postal Day)એ મનનો ભાવ વ્યક્ત કર્યો છે. આ રીતે વિધાર્થીઓ દ્વારા નેશનલ પોસ્ટલ ડે ની સર્જનાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ટેકનોલોજીના સમયમાં બાળકોએ કાગળને કલમ પકડી

શાળાના માર્ગદર્શન તળે આ રસભર પ્રવૃત્તિમાં ધોરણ 3થી 12ના 10હજાર જેટલા વિધાર્થી ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો, સાંપ્રત સમયમાં જ્યારે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ જેવી ટેકનોલોજીને કારણે કાગળ લખવાની પરંપરા લુપ્ત થઈ ચૂકી છે ત્યારે બાળકોમાં કાગળ લખવાની કળા વિકશે, સર્જાત્મકતા ખીલે તે માટે શાળામાં અવારનવાર આ પ્રકારનું આયોજન થતું હોય છે,

મનમાં મુંઝવતા સવાલનું સમાધાન માટે પીએમને પત્ર લખ્યા

પરંતુ આ વર્ષે આ સમ્રગ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે બાળકો પોતાના મનમાં મુંઝવતા સવાલનું સમાધાન માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાગળ દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરવાનો વિનર્મ પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડમાં વિધાર્થીએ પોતાના પ્રશ્નનોની ચર્ચા કરવા માટે પીએમ મોદી પાસે રૂબરૂ મળવા માટેનો કાર્ડ દ્વારા સમય માગ્યો હતો.

આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ પ્રધાને ચલણી નોટમાંથી ગાંધીનો ફોટો હટાવવા કરી માંગ, જાણો કેમ...

આ પણ વાંચોઃ ગીરના સિંહોને મુક્ત કરવાનો મામલો પહોંચ્યો દિલ્હી દરબારમાં, સિંહપ્રેમીઓએ પીએમ મોદીને પત્ર લખ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.