માંડવી (સુરત): માંડવીમાં આદિવાસી સમાજે ફરી એક વાર તાપી પાર નર્મદા લિન્ક પ્રોજેક્ટના વિરોધમાં સરકાર સામે બાંયો (Tapi Par Narmada Link Project Protest in Mandavi) ચડાવી હતી. માંડવી ખાતે આદિવાસી સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિવાસી સમાજે આક્રમક મુડમાં સરકારનો (Tribal Protest In Surat) વિરોધ કર્યો હતો. સાથે જ આદિવાસી નેતાઓએ સરકાર પર શાબ્દિક પ્રહાર પણ (Tribal attack on Government) કર્યા હતા.
મોટી સંખ્યામાં આદિવાસી સમાજ થયો ભેગો - તાપી પાર નર્મદા લિંક યોજના સામેની લડત (Tapi Par Narmada Link Project Protest in Mandavi) હવે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જોવા મળી છે. જિલ્લાનો આદિવાસી તાલુકો માંડવી ખાતે આદિવાસી સમાજે એકત્રિત થઈ સરકારનો વિરોધ (Tribal Protest In Surat) કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં આદિવાસી નેતાઓ અને સમાજના લોકો એકત્રિત થયા હતા. અહીં આદિવાસી સમાજે અન્યાય અને વિવિધ માગ અંગે આક્રમક વલણ (Tribal Protest In Surat) બતાવ્યું હતું. સાથે જ સરકાર આદિવાસીઓના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આદિવાસી સમાજનું શોષણ કરી રહી હોવાનું આદિવાસી સમાજે (Tribal attack on Government) આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો- Gujarat River Link Project: શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેઃ કોંગ્રેસ
આદિવાસી સમાજની સરકાર સામે નારાજગી - તાપી પાર નર્મદા લિંક યોજના બાબતે રાજ્યભરના આદિવાસી સમાજમાં વિરોધનો સૂર (Tapi Par Narmada Link Project Protest in Mandavi ) ઉઠ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો કેન્દ્રમાં રહ્યા છે. આ લડતમાં કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓ તેમ જ બીટીપી સહિતના પક્ષો પણ એક સ્થળે જોવા મળ્યા હતા. તેમણે પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી મક્કમ લડત આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો- Par Tapi Narmada River Link Project: સોનગઢ મુકામે રેલી બાદ આદિવાસી સમાજનું સંમેલન થયું શરૂ
આદિવાસી સમાજે લડત ઉપાડતા સરકાર એ કરી છે યોજના મોકૂફ - આદિવાસી સમાજે ઉપાડેલી આ લડત બાદ સરકારે પણ યોજના મોકૂફ કરી (Tapi Par Narmada Link Project Postponed) હોવાની જાહેરાત કરી હતી, પરંતુ આદિવાસી સમાજે જાહેરાતને માત્ર લોલીપોપ ગણાવી છે. અને તાપી પાર નર્મદા લિંક યોજના બાબતે વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી યુવા નેતા અનંત પટેલ સહિત અનેક આગેવાનો એ જાહેરાત નહીં, પરંતુ શ્વેતપત્ર સરકાર બહાર પાડે એવી પણ આજના કાર્યક્રમ થકી માગ (Tribal demands for Shwetpatra) કરી હતી.