ETV Bharat / city

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો સ્લેબ તુટવાની ધટનાં બાબતે અમિત ચાવડાએ શું પ્રતિક્રીયા આપી જાણો... - તાત્કાલિક સહાય અને વળતરની માંગણી કરી

આજરોજ રાજકોટનાં યાજ્ઞિક રોડ પર ધનરાજન બિલ્ડીંગનો પ્રથમ માળનો સ્લેબ તુટી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુરત ખાતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ગેરરીતિનું પરિણામ છે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અસરગ્રસ્તોને વળતર આપવું જોઈએ. સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ પણ તેમની દ્વારા કરાઈ છે.

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો સ્લેબ તુટવાની ધટનાં બાબતે અમિત ચાવડાએ શું પ્રતિક્રીયા આપી જાણો...
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો સ્લેબ તુટવાની ધટનાં બાબતે અમિત ચાવડાએ શું પ્રતિક્રીયા આપી જાણો...
author img

By

Published : Oct 28, 2021, 3:48 PM IST

  • અમિત ચાવડાએ કહ્યું કે, ગેરરીતિનું પરિણામ છે કાર્યવાહી થવી જોઈએ
  • ધનરાજન બિલ્ડીંગનો સ્લેબ તુટી પડતાં લોકો ઈજાગ્રસ્ત થયા
  • આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ માટે કોંગ્રેસે માંગ કરી

સુરત : કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સુરતમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે એટલું જ નહીં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ભાજપ છે. રાજકોટ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમ ટાઉન છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્યાં કોર્પોરેશનમાં છે. એવી જગ્યાએ કોઈ કોમર્શિયલ કોમ્પલેક્ષ અચાનક ધરાશાયી થવી તે તેમનું માનવું છે કે તંત્ર દ્વારા બાંધકામમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યાં ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ જ હશે. જે જર્જરીત ઇમારતો છે. તેનું ઇન્સ્પેકશન થવું જોઈએ.

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો સ્લેબ તુટવાની ધટનાં બાબતે અમિત ચાવડાએ શું પ્રતિક્રીયા આપી જાણો...

તાત્કાલિક સહાય અને વળતરની માંગણી કરી

વધુમાં જણાવ્યું હતું કે, જો ઇમારત જર્જરીત હોય તો તેને તોડી પાડવાની જરૂર હોય તો તેને તોડી પાડવી જોઈએ. ભાજપ શાસકોના ભ્રષ્ટાચાર મિલીભગતના કારણે આવા અકસ્માતો બન્યા છે. આ સરકાર અને શાસકોની ગંભીર બેદરકારી છે આજે છ જેટલા માસુમ લોકોને ઈજાઓ થઈ છે. આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ થવી જોઇએ જે પણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જે પણ અસરગ્રસ્તો છે તેમને તાત્કાલિક સહાય અને વળતર મળવું જોઇએ.

આ પણ વાંચો : પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર ફરી ડ્રોન દેખાયું

આ પણ વાંચો : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી

  • અમિત ચાવડાએ કહ્યું કે, ગેરરીતિનું પરિણામ છે કાર્યવાહી થવી જોઈએ
  • ધનરાજન બિલ્ડીંગનો સ્લેબ તુટી પડતાં લોકો ઈજાગ્રસ્ત થયા
  • આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ માટે કોંગ્રેસે માંગ કરી

સુરત : કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સુરતમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે એટલું જ નહીં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ભાજપ છે. રાજકોટ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમ ટાઉન છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્યાં કોર્પોરેશનમાં છે. એવી જગ્યાએ કોઈ કોમર્શિયલ કોમ્પલેક્ષ અચાનક ધરાશાયી થવી તે તેમનું માનવું છે કે તંત્ર દ્વારા બાંધકામમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યાં ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ જ હશે. જે જર્જરીત ઇમારતો છે. તેનું ઇન્સ્પેકશન થવું જોઈએ.

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો સ્લેબ તુટવાની ધટનાં બાબતે અમિત ચાવડાએ શું પ્રતિક્રીયા આપી જાણો...

તાત્કાલિક સહાય અને વળતરની માંગણી કરી

વધુમાં જણાવ્યું હતું કે, જો ઇમારત જર્જરીત હોય તો તેને તોડી પાડવાની જરૂર હોય તો તેને તોડી પાડવી જોઈએ. ભાજપ શાસકોના ભ્રષ્ટાચાર મિલીભગતના કારણે આવા અકસ્માતો બન્યા છે. આ સરકાર અને શાસકોની ગંભીર બેદરકારી છે આજે છ જેટલા માસુમ લોકોને ઈજાઓ થઈ છે. આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ થવી જોઇએ જે પણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જે પણ અસરગ્રસ્તો છે તેમને તાત્કાલિક સહાય અને વળતર મળવું જોઇએ.

આ પણ વાંચો : પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર ફરી ડ્રોન દેખાયું

આ પણ વાંચો : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.