ETV Bharat / city

કોરોના વેક્સિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજને દૂર કરવા આગેવાનો રોડ પર ઉતર્યા

author img

By

Published : Mar 24, 2021, 4:25 PM IST

સુરત શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લે તે માટે તંત્ર દોડતું થયું છે, ખાસ કરીને વાત કરવામાં આવે સુરતમાં લઘુમતી સમાજમાં માત્ર 0.2 ટકા જ વેક્સિનેશન થતા તંત્ર દ્વારા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં વેક્સિન લીએ આ માટે સમાજના આગેવાન કદીર પીરઝાડા રોડ પર ઉતરી લોકોને સમજાવી રહ્યા છે અને માસ્કનું વિતરણ કરી રહ્યા છે.

માસ્કનું વિતરણ કરાયું
માસ્કનું વિતરણ કરાયું
  • સુરતમાં અત્યાર સુધીમાં 1,60,000થી વધુ લોકોએ વેક્સિન લીધી
  • લઘુમતી સમાજમાં 0.2 ટકા જ વેક્સિનેશન થતા તંત્ર દ્વારા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી
  • સમાજના આગેવાનોએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

સુરતઃ રાજ્યમાં સૌથી વધુ કરોના પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. દરરોજ 500ની આસપાસ કેસ આવી રહ્યા છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને લોકો વેક્સિન લે તે માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં 1,60,000થી વધુ લોકોએ વેક્સિન લીધી છે, પરંતુ તેમાં લધુમતી સમાજના 0.2 ટકા લોકોએ જ રસી લીધી છે. લઘુમતી સમાજમાં વેક્સિનેશન લેવાની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેના કારણે તંત્રમાં ચિંતા વ્યાપી છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર સહિત અધિકારીઓએ લઘુમતી સમાજના આગેવાનો સાથે આ અંગે બેઠક પણ કરી હતી, ત્યારબાદ શહેરના પૂર્વ મેયર અને લઘુમતી સમાજના આગેવાને કદીર પીરજાદાએ વેક્સિનેશનનો ભય દૂર કરવા જાતે વેક્સિન લઈ અને લધુમતી વિસ્તારમાં ફરીને લોકોને વેક્સિનેશન લેવા માટે આગ્રહ કરી રહ્યા છે.

માસ્કનું વિતરણ કરાયું
માસ્કનું વિતરણ કરાયું

મોટી સંખ્યામાં સમાજના લોકોને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ

આ અંગે કદીર પીરજાદાએ જણાવ્યું હતું કે, અમે સમાજના આગેવાનો અને શિક્ષિત લોકો સાથે બેઠક યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં છે અને લોકો ઘરેથી નીકળી વેક્સિન લે આ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમે છેલ્લા કેટલાક દિવસથી આ અંગે જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ. લઘુમતી વિસ્તારમાં ફરીને લોકોને વેક્સિન લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે, તેમજ લોકોને જણાવવામાં આવ્યું છે કે, લોકો માટે વેક્સિન સંજીવની છે. ખાસ કરીને કોમોરબીડ અને મહિલાઓ આ વેક્સિન લે તે ખૂબ જ જરૂરી છે. આ બાબતે પણ લોકોને સમજ આપવામાં આવી છે.

કોરોના વેક્સિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજને દૂર કરવા આગેવાનો રોડ પર ઉતર્યા

આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 577 કોરોના પોઝિટિવ કેસ, 2 દર્દીનાં મોત

વેકસિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિનને લઈ સમાજમાં ખૂબ જ ગેરસમજ ઉભી થઈ હતી. અફવાઓ વહેતી થઈ હતી કે આ વેક્સિન લેવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે અથવા તો પેરાલીસીસ અટેક આવી શકે છે, આવી ગેરસમજના કારણે અત્યાર સુધી લઘુમતી સમાજના લોકો વેક્સિન લઈ રહ્યા નથી, પરંતુ આ ગેરસમજ પણ અત્યારે દૂર થઈ રહી છે.

4 હોસ્પિટલોમાં નિઃશુલ્ક વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી

કદીર પીરજાદાએ વધુમાં જણાવ્યું હતું કે, લઘુમતી વિસ્તારમાં આવેલી 4 હોસ્પિટલોમાં નિઃશુલ્ક વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્સિન લઈ શકે. શહેરના ખાસ મોગલી સરા વિસ્તારમાં 4 હોસ્પિટલોમાં આ સુવિધા આપવામાં આવી રહી છે. જે રીતે લઘુમતી સમાજના આગેવાનો રોડ પર ઉતરી લોકોને સમજાવી રહ્યા છે, ત્યારે આશા છે કે આવનારા દિવસોમાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેશે. જોકે, આવનારા દિવસોમાં રમજાન પણ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય તે માટે પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

  • સુરતમાં અત્યાર સુધીમાં 1,60,000થી વધુ લોકોએ વેક્સિન લીધી
  • લઘુમતી સમાજમાં 0.2 ટકા જ વેક્સિનેશન થતા તંત્ર દ્વારા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી
  • સમાજના આગેવાનોએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

સુરતઃ રાજ્યમાં સૌથી વધુ કરોના પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. દરરોજ 500ની આસપાસ કેસ આવી રહ્યા છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને લોકો વેક્સિન લે તે માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં 1,60,000થી વધુ લોકોએ વેક્સિન લીધી છે, પરંતુ તેમાં લધુમતી સમાજના 0.2 ટકા લોકોએ જ રસી લીધી છે. લઘુમતી સમાજમાં વેક્સિનેશન લેવાની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેના કારણે તંત્રમાં ચિંતા વ્યાપી છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર સહિત અધિકારીઓએ લઘુમતી સમાજના આગેવાનો સાથે આ અંગે બેઠક પણ કરી હતી, ત્યારબાદ શહેરના પૂર્વ મેયર અને લઘુમતી સમાજના આગેવાને કદીર પીરજાદાએ વેક્સિનેશનનો ભય દૂર કરવા જાતે વેક્સિન લઈ અને લધુમતી વિસ્તારમાં ફરીને લોકોને વેક્સિનેશન લેવા માટે આગ્રહ કરી રહ્યા છે.

માસ્કનું વિતરણ કરાયું
માસ્કનું વિતરણ કરાયું

મોટી સંખ્યામાં સમાજના લોકોને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ

આ અંગે કદીર પીરજાદાએ જણાવ્યું હતું કે, અમે સમાજના આગેવાનો અને શિક્ષિત લોકો સાથે બેઠક યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં છે અને લોકો ઘરેથી નીકળી વેક્સિન લે આ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમે છેલ્લા કેટલાક દિવસથી આ અંગે જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ. લઘુમતી વિસ્તારમાં ફરીને લોકોને વેક્સિન લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે, તેમજ લોકોને જણાવવામાં આવ્યું છે કે, લોકો માટે વેક્સિન સંજીવની છે. ખાસ કરીને કોમોરબીડ અને મહિલાઓ આ વેક્સિન લે તે ખૂબ જ જરૂરી છે. આ બાબતે પણ લોકોને સમજ આપવામાં આવી છે.

કોરોના વેક્સિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજને દૂર કરવા આગેવાનો રોડ પર ઉતર્યા

આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 577 કોરોના પોઝિટિવ કેસ, 2 દર્દીનાં મોત

વેકસિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિનને લઈ સમાજમાં ખૂબ જ ગેરસમજ ઉભી થઈ હતી. અફવાઓ વહેતી થઈ હતી કે આ વેક્સિન લેવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે અથવા તો પેરાલીસીસ અટેક આવી શકે છે, આવી ગેરસમજના કારણે અત્યાર સુધી લઘુમતી સમાજના લોકો વેક્સિન લઈ રહ્યા નથી, પરંતુ આ ગેરસમજ પણ અત્યારે દૂર થઈ રહી છે.

4 હોસ્પિટલોમાં નિઃશુલ્ક વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી

કદીર પીરજાદાએ વધુમાં જણાવ્યું હતું કે, લઘુમતી વિસ્તારમાં આવેલી 4 હોસ્પિટલોમાં નિઃશુલ્ક વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્સિન લઈ શકે. શહેરના ખાસ મોગલી સરા વિસ્તારમાં 4 હોસ્પિટલોમાં આ સુવિધા આપવામાં આવી રહી છે. જે રીતે લઘુમતી સમાજના આગેવાનો રોડ પર ઉતરી લોકોને સમજાવી રહ્યા છે, ત્યારે આશા છે કે આવનારા દિવસોમાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેશે. જોકે, આવનારા દિવસોમાં રમજાન પણ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય તે માટે પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.