- મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાજ કે રાજ પુરોહિત સુરતની મુલાકાતે
- રાજસ્થાની સમાજના લોકો સાથે મિટિંગ કરી રહ્યા છે
- ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજસ્થાન સમાજના મતદાતાઓને આકર્ષવા માટે તેઓ સુરત આવ્યાં
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે ભાજપ દ્વારા દરેક સમાજના મતદાતાઓને આકર્ષવા માટે જે તે સમાજના આગેવાનોને બોલાવી પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુળ રાજસ્થાનના અને હાલ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા રાજ કે રાજ પુરોહિત સુરતની મુલાકાતે છે. સુરતના તમામ રાજસ્થાની સમાજના લોકો સાથે મિટિંગ કરી રહ્યા છે અને જાહેર સભામાં જઈ રહ્યા છે. જેથી ભાજપને રાજસ્થાની સમાજના મતો મળી શકે. તેઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજની વિચારધારાઓ ભાજપની વિચારધારા સાથે મળે છે. આ જ કારણ છે કે રાજસ્થાની સમાજના લોકો ભાજપ અને આરએસએસની સાથે રહેશે અને ચૂંટણીમાં ભવ્ય વિજય આપાવશે.
પ્રજાવિરોધી કાર્ય કરનારી સરકાર આવનારા દિવસોમાં પડી જશેઃ રાજ કે રાજપુરોહિત
બીજી બાજુ રાજપુરોહિતે મહારાષ્ટ્ર સરકાર આગામી 3 થી 4 મહિનામાં પડી જશે. એવું નિવેદન પણ આપ્યું છે. ETV Bharat સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રજાવિરોધી કાર્ય કરનારી સરકાર આવનારા દિવસોમાં પડી જશે. આ સરકારે મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ રોકી રાખ્યા છે. પ્રજા ત્રસ્ત છે. હવે અમારા નેતાઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાંથી નિરાંત થશે, ત્યારબાદ મહારાષ્ટ્રનો નંબર આવશે. અહીં સરકાર પડી જશે. આ સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે નહીં. ત્રણથી ચાર મહિના માં સરકાર પડવાની આશંકા છે અને એક ધારાસભ્ય મારી સંપર્કમાં છે. જે ધારાસભ્ય સામે નહીં પણ આવે તો પણ તેમની સરકાર બદલાઈ જશે.