ETV Bharat / city

સુરતની તાપી નદીમાં યુવાને કૂદકો મારી કરી આત્મહત્યા

author img

By

Published : Mar 9, 2021, 8:23 PM IST

સુરતમાં માનસિક તણાવમાં રહેતા યુવાને તાપી નદીના પુલ પરથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. શહેરના વરાછા-સરથાણા અને મોટા વરાછાને જોડતો સવજી કોરાટ પુલ પરથી યુવાને કૂદકો મારી દેતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો.

તાપી નદીમાં યુવાને કૂદકો મારી કરી આત્મહત્યા
તાપી નદીમાં યુવાને કૂદકો મારી કરી આત્મહત્યા
  • તાપી નદીમાં કૂદકો મારી યુવાને કરી આત્મહત્યા
  • ઘરે પરત ન આવતા પરિવારજનોએ ગુમની ફરિયાદ નોંધાવી હતી
  • ફાયરની ટીમે યુવાનને બહાર કાઢ્યો

સુરત: શહેરના કતારગામમાં રહેતો 25 વર્ષીય રાહુલ કિશોરભાઈ પુરોહિત વરાછા-સરથાણા અને મોટા વરાછાને જોડતો સવજી કોરાટ પુલ પરથી કૂદકો મારી જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળે દોડી આવી યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારના લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાહુલ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેના પરિવારે આ મામલે કતારગામ પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચો: વડોદરામાં નર્સે ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઈજેક્શન લઈ મોત વ્હાલું કર્યું

યુવાન સતત માનસિક તણાવમાં રહેતો

યુવાન સતત માનસિક તણાવમાં રહેતો હતો. યુવાન ઘરેથી નીકળ્યા બાદ તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે આવી યુવાનની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી યુવાને કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

  • તાપી નદીમાં કૂદકો મારી યુવાને કરી આત્મહત્યા
  • ઘરે પરત ન આવતા પરિવારજનોએ ગુમની ફરિયાદ નોંધાવી હતી
  • ફાયરની ટીમે યુવાનને બહાર કાઢ્યો

સુરત: શહેરના કતારગામમાં રહેતો 25 વર્ષીય રાહુલ કિશોરભાઈ પુરોહિત વરાછા-સરથાણા અને મોટા વરાછાને જોડતો સવજી કોરાટ પુલ પરથી કૂદકો મારી જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળે દોડી આવી યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારના લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાહુલ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેના પરિવારે આ મામલે કતારગામ પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચો: વડોદરામાં નર્સે ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઈજેક્શન લઈ મોત વ્હાલું કર્યું

યુવાન સતત માનસિક તણાવમાં રહેતો

યુવાન સતત માનસિક તણાવમાં રહેતો હતો. યુવાન ઘરેથી નીકળ્યા બાદ તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે આવી યુવાનની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી યુવાને કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.