ETV Bharat / city

સુરતના વરાછા ઉમિયા ધામ પાસે એમ્રોડરી કારખાનામાં આગ લાગી - અશ્વિની કુમાર રોડ

સુરતના અશ્વિની કુમાર રોડ પર આવેલી મીરાં ગોઠણ ઈન્ડસ્ટ્રીમાં મોડી રાતે 2 વાગે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અંદર કામ કરતા શ્રમિકો દોડવા લાગ્યા હતા. 3 ફાયર સ્ટેશનોની ગાડીએ પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી.

સુરતના વરાછા ઉમિયા ધામ પાસે આવેલ એમ્રોડરી કારખાનામાં આગ લાગી
સુરતના વરાછા ઉમિયા ધામ પાસે આવેલ એમ્રોડરી કારખાનામાં આગ લાગી
author img

By

Published : Mar 17, 2021, 12:08 PM IST

  • 3 ફાયર સ્ટેશનોની ગાડી પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી
  • કોઈ જાનહાની થઇ નથી પણ નુકસાન ખુબ જ થયું
  • આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો

સુરત: અશ્વિની કુમાર રોડ પર આવેલી મીરાં ગોઠણ ઈન્ડસ્ટ્રીમાં મોડી રાતે 2 વાગે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અંદર કામ કરતા શ્રમિકો દોડવા લાગ્યા હતા. 3 ફાયર સ્ટેશનોની ગાડી પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી. હાલ કોઈ જાનહાની થઇ નથી પણ નુકસાન ખુબ જ થયું છે.

આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો

સુરતના અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા ઉમિયા માતાજીના મંદિરની સામે મીરાં ઇન્ડસ્ટ્રીમાં ખાતા નંબર 6,566 અને 67માં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગને બે કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. મીરા ઇન્ડસ્ટ્રીઝ ચાર માળની હોવા છતાં નીચેથી બીજા માળ સુધીના ભાગને આગે પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. જોકે, આ આગમાં ખૂબ જ નુકસાન થયું હતુ. ફાયર સેફ્ટી હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

સુરતના વરાછા ઉમિયા ધામ પાસે આવેલ એમ્રોડરી કારખાનામાં આગ લાગી

આ પણ વાંચો: દમણમાં તાડપત્રી બનાવતી કંપનીમાં ભીષણ આગ

મીરા ઇન્ડસ્ટ્રીમાં ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો

ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, મીરા ઇન્ડસ્ટ્રીમાં ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જો તરત આગ લાગવાની સાથે ફાયરના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આટલુ બધુ નુકસાન થયું ન હોત. જોકે, બીજી બાજુ એમ પણ જાણવા મળ્યું કે શ્રમિકો ગભરાઈ ગયા હોવાને કારણે ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો ન હતો. ઇન્ડસ્ટ્રીમાં ખાલી પુઠ્ઠા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ફાયર વિભાગ દ્વારા આગને બે કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: વાપી GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી આગ

ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી

મીરા ઇન્ડસ્ટ્રીના મેનેજર જયદીપભાઇ સકારા દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, હાલ અમારી કંપનીમાં 2 શિફ્ટ ચાલી રહી છે. ત્યારે નાઈટ શિફ્ટના શ્રમિકો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અંદરથી આગ લાગી હતી. જોકે, સમય સૂચક્તાની સાથે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

  • 3 ફાયર સ્ટેશનોની ગાડી પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી
  • કોઈ જાનહાની થઇ નથી પણ નુકસાન ખુબ જ થયું
  • આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો

સુરત: અશ્વિની કુમાર રોડ પર આવેલી મીરાં ગોઠણ ઈન્ડસ્ટ્રીમાં મોડી રાતે 2 વાગે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અંદર કામ કરતા શ્રમિકો દોડવા લાગ્યા હતા. 3 ફાયર સ્ટેશનોની ગાડી પહોંચીને 2 કલાકે આગને કાબૂમાં લીધી હતી. હાલ કોઈ જાનહાની થઇ નથી પણ નુકસાન ખુબ જ થયું છે.

આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો

સુરતના અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા ઉમિયા માતાજીના મંદિરની સામે મીરાં ઇન્ડસ્ટ્રીમાં ખાતા નંબર 6,566 અને 67માં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગને બે કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. મીરા ઇન્ડસ્ટ્રીઝ ચાર માળની હોવા છતાં નીચેથી બીજા માળ સુધીના ભાગને આગે પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. જોકે, આ આગમાં ખૂબ જ નુકસાન થયું હતુ. ફાયર સેફ્ટી હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

સુરતના વરાછા ઉમિયા ધામ પાસે આવેલ એમ્રોડરી કારખાનામાં આગ લાગી

આ પણ વાંચો: દમણમાં તાડપત્રી બનાવતી કંપનીમાં ભીષણ આગ

મીરા ઇન્ડસ્ટ્રીમાં ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો

ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, મીરા ઇન્ડસ્ટ્રીમાં ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જો તરત આગ લાગવાની સાથે ફાયરના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આટલુ બધુ નુકસાન થયું ન હોત. જોકે, બીજી બાજુ એમ પણ જાણવા મળ્યું કે શ્રમિકો ગભરાઈ ગયા હોવાને કારણે ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો ન હતો. ઇન્ડસ્ટ્રીમાં ખાલી પુઠ્ઠા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ફાયર વિભાગ દ્વારા આગને બે કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: વાપી GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી આગ

ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી

મીરા ઇન્ડસ્ટ્રીના મેનેજર જયદીપભાઇ સકારા દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, હાલ અમારી કંપનીમાં 2 શિફ્ટ ચાલી રહી છે. ત્યારે નાઈટ શિફ્ટના શ્રમિકો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અંદરથી આગ લાગી હતી. જોકે, સમય સૂચક્તાની સાથે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.