ETV Bharat / city

રાજકોટ: ST બસમાં પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લામાં બસની શરૂઆત કરાઈ - latest news of gondal

લોકડાઉન-4ને લઈને સરકારના આદેશ અનુસાર એસટી બસ સેવા શરૂ કરવાની સૂચનાને લઈને ગોંડલ એસટી બસ સ્ટેશનને સાફ સફાઈ કરી સેનેટાઈઝ કરવામાં આવ્યું અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લામાં બસની શરૂઆત કરવામાં આવી છે.

start bus in gondal
ગોંડલમાં ST બસની શરૂઆત
author img

By

Published : May 20, 2020, 4:50 PM IST

રાજકોટઃ લોકડાઉન-4ને લઈને સરકારના આદેશ અનુસાર એસટી બસ સેવા શરૂ કરવાની સૂચનાને રાજકોટ એસટી વિભાગ દ્વારા 75 શિડયુલ અને ગોંડલ એસટી વિભાગ દ્વારા 12 શિડયુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધીનું સંચાલન કરવામાં આવશે. લોકોની સુરક્ષાની સાવચેતી રૂપે તૈયારી કરી એસટી ડેપો અને એસટી બસને ગોંડલ નગરપાલિકા દ્વારા સેનેટાઇઝર કરવામાં આવ્યું અને ગોંડલ બસ સ્ટેન્ડની અંદર સાફ સફાઈ કરવામાં આવી હતી.

ગોંડલમાં ST બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બસની શરૂઆત

સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે દરેક બસમાં 30 પ્રવાસી બેસાડવામાં આવ્યા હતા. હાલ 12 શિડયુલ ચાલુ કરવામાં આવ્યા છે. જસદણ, ધોરાજી, જેતપુર, રાજકોટ, જામકંડોરના રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને સાવચેતીના ભાગ રૂપે કોઈ પણ પ્રવાસી એસટી બસમાં પ્રવાસ માટે એન્ટ્રી કરશે ત્યારે તેમના હાથને સેનીટાઈઝરથી સાફ કરવવામાં આવશે અને એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને હેન્ડ ગ્લોઝ અને માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.

રાજકોટઃ લોકડાઉન-4ને લઈને સરકારના આદેશ અનુસાર એસટી બસ સેવા શરૂ કરવાની સૂચનાને રાજકોટ એસટી વિભાગ દ્વારા 75 શિડયુલ અને ગોંડલ એસટી વિભાગ દ્વારા 12 શિડયુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધીનું સંચાલન કરવામાં આવશે. લોકોની સુરક્ષાની સાવચેતી રૂપે તૈયારી કરી એસટી ડેપો અને એસટી બસને ગોંડલ નગરપાલિકા દ્વારા સેનેટાઇઝર કરવામાં આવ્યું અને ગોંડલ બસ સ્ટેન્ડની અંદર સાફ સફાઈ કરવામાં આવી હતી.

ગોંડલમાં ST બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બસની શરૂઆત

સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે દરેક બસમાં 30 પ્રવાસી બેસાડવામાં આવ્યા હતા. હાલ 12 શિડયુલ ચાલુ કરવામાં આવ્યા છે. જસદણ, ધોરાજી, જેતપુર, રાજકોટ, જામકંડોરના રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને સાવચેતીના ભાગ રૂપે કોઈ પણ પ્રવાસી એસટી બસમાં પ્રવાસ માટે એન્ટ્રી કરશે ત્યારે તેમના હાથને સેનીટાઈઝરથી સાફ કરવવામાં આવશે અને એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને હેન્ડ ગ્લોઝ અને માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.