ETV Bharat / city

કથિત કલ્કી અવતારનો સચિવને પત્ર, લખ્યું - પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેજ્યુઈટી ચૂકવો નહીં તો દુષ્કાળ પાડીશ

author img

By

Published : Jul 4, 2021, 7:28 PM IST

વર્ષ 2017માં ખુદને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ગણાવનારા ઈજનેર રમેશચંદ્ર ફેફર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તેમણે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખીને તેમનો છેલ્લા એક વર્ષનો બાકી રહેતો પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેજ્યુઈટી આપવાની માગ કરી છે. આ સાથે તેમણે કોરોનાકાળમાં કરેલા 'વર્ક ફ્રોમ હોમ' ના સમયનો પણ પગાર ચૂકવવાની માગ કરી છે.

કથિત કલ્કી અવતારનો સચિવને પત્ર
કથિત કલ્કી અવતારનો સચિવને પત્ર
  • ખુદને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માને છે રમેશચંદ્ર ફેફર
  • અગાઉ ઓફિસમાં હાજર ન રહેતા હોવાથી પાઠવેલી નોટિસમાં કહ્યું હતું
  • બાકી પગાર અને ગ્રેજ્યુઈટી મામલે પત્ર લખી ફરી વખત વિવાદમાં આવ્યા

રાજકોટ: વર્ષ 2017માં પોતાને ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર ગણાવનારા રમેશચંદ્ર ફેફર ફરી વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને નિવૃત્ત જીવન ગાળી રહેલા રમેશચંદ્રએ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખીને તેમનો છેલ્લા એક વર્ષનો બાકી રહેતો રૂપિયા 16 લાખ પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેજ્યુઈટી આપવાની માગ કરી છે. આ સાથે તેમણે કોરોનાકાળમાં કરેલા 'વર્ક ફ્રોમ હોમ' ના સમયનો પણ પગાર ચૂકવવાની માગ કરી છે.

મારી તપસ્યાના હિસાબે દેશમાં સારો વરસાદ થયો

રમેશ ચંદ્ર ફેફરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પોતે કલ્કી અવતાર છે. તેમજ તેમની તપસ્યાના કારણે ભારતમાં સતત 20 વર્ષથી સારો વરસાદ થયો છે. જ્યારે એક પણ વર્ષ માટે દેશમાં કોઈ જગ્યાએ દુષ્કાળ પડ્યો નથી. છેલ્લા 20 વર્ષથી સારા વરસાદના કારણે દેશને રૂપિયા 20 લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં રાક્ષસો સરકારમાં બેસીને સતત અન્નાય કરી રહ્યા છે. જેને લઈને તેમણે આ વર્ષે પાણી અને બરફ વર્ષાથી ભયંકર દુષ્કાળ પાડવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ઈજનેર રમેશચંદ્ર ફેફરે લખેલો પત્ર
ઈજનેર રમેશચંદ્ર ફેફરે લખેલો પત્ર

સતયુગમાં પૃથ્વી પર મારી જ સત્તા હશે

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે, હું જ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું. સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલવાની છે. આમ રમેશચંદ્ર ફેફર દ્વારા પત્ર લખીને પોતે કલ્કી અવતાર હોવાની અને વિશ્વમાં દુષ્કાળ પાડવાની વાત કરવામાં આવી છે. જેને લઈને ફરી તેઓ વિવાદમાં આવ્યા છે. જ્યારે તેઓ અગાઉ સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે.

વર્ષ 2017માં પણ સર્જાયો હતો વિવાદ

રમેશચંદ્ર ફેફરે વડોદરા ખાતેના તેના પોસ્ટિંગ પર તા.22 સપ્ટેમ્બર 2017ના રોજ હાજર થયા બાદ માત્ર 16 દિવસ જ નોકરી કરી હતી. જેના પગલે નિગમે 15 મે, 2018ના રોજ તેમને નોટિસ ફટકારી હતી. આ નોટિસના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું. હું સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તન લાવવાનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં, આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી. તેમ તેમણે જણાવ્યું હતું. આ મામલે વર્ષ 2107માં ખૂબ જ વિવાદ સર્જાયો હતો.

  • ખુદને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માને છે રમેશચંદ્ર ફેફર
  • અગાઉ ઓફિસમાં હાજર ન રહેતા હોવાથી પાઠવેલી નોટિસમાં કહ્યું હતું
  • બાકી પગાર અને ગ્રેજ્યુઈટી મામલે પત્ર લખી ફરી વખત વિવાદમાં આવ્યા

રાજકોટ: વર્ષ 2017માં પોતાને ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર ગણાવનારા રમેશચંદ્ર ફેફર ફરી વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને નિવૃત્ત જીવન ગાળી રહેલા રમેશચંદ્રએ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખીને તેમનો છેલ્લા એક વર્ષનો બાકી રહેતો રૂપિયા 16 લાખ પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેજ્યુઈટી આપવાની માગ કરી છે. આ સાથે તેમણે કોરોનાકાળમાં કરેલા 'વર્ક ફ્રોમ હોમ' ના સમયનો પણ પગાર ચૂકવવાની માગ કરી છે.

મારી તપસ્યાના હિસાબે દેશમાં સારો વરસાદ થયો

રમેશ ચંદ્ર ફેફરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પોતે કલ્કી અવતાર છે. તેમજ તેમની તપસ્યાના કારણે ભારતમાં સતત 20 વર્ષથી સારો વરસાદ થયો છે. જ્યારે એક પણ વર્ષ માટે દેશમાં કોઈ જગ્યાએ દુષ્કાળ પડ્યો નથી. છેલ્લા 20 વર્ષથી સારા વરસાદના કારણે દેશને રૂપિયા 20 લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં રાક્ષસો સરકારમાં બેસીને સતત અન્નાય કરી રહ્યા છે. જેને લઈને તેમણે આ વર્ષે પાણી અને બરફ વર્ષાથી ભયંકર દુષ્કાળ પાડવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ઈજનેર રમેશચંદ્ર ફેફરે લખેલો પત્ર
ઈજનેર રમેશચંદ્ર ફેફરે લખેલો પત્ર

સતયુગમાં પૃથ્વી પર મારી જ સત્તા હશે

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે, હું જ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું. સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલવાની છે. આમ રમેશચંદ્ર ફેફર દ્વારા પત્ર લખીને પોતે કલ્કી અવતાર હોવાની અને વિશ્વમાં દુષ્કાળ પાડવાની વાત કરવામાં આવી છે. જેને લઈને ફરી તેઓ વિવાદમાં આવ્યા છે. જ્યારે તેઓ અગાઉ સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે.

વર્ષ 2017માં પણ સર્જાયો હતો વિવાદ

રમેશચંદ્ર ફેફરે વડોદરા ખાતેના તેના પોસ્ટિંગ પર તા.22 સપ્ટેમ્બર 2017ના રોજ હાજર થયા બાદ માત્ર 16 દિવસ જ નોકરી કરી હતી. જેના પગલે નિગમે 15 મે, 2018ના રોજ તેમને નોટિસ ફટકારી હતી. આ નોટિસના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું. હું સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તન લાવવાનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં, આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી. તેમ તેમણે જણાવ્યું હતું. આ મામલે વર્ષ 2107માં ખૂબ જ વિવાદ સર્જાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.