ETV Bharat / city

શ્રાવણની શરુઆતે વધી બટાકાની માગ, રાજકોટ યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક

author img

By

Published : Aug 11, 2021, 8:42 PM IST

રાજકોટમાં શ્રાવણ મહિનો આવતાની સાથે જ યાર્ડમાં બટાકાની આવકમાં બમણો વધારો થયો છે. હાલમાં રાજકોટ યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોગ્રામ કરતા વધુ બટાકાની આવક નોંધાઇ રહી છે. જ્યારે ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.

શ્રાવણની શરુઆતે વધી બટાકાની માગ, રાજકોટ યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક
શ્રાવણની શરુઆતે વધી બટાકાની માગ, રાજકોટ યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક
  • શ્રાવણ મહિનો આવતા રાજકોટમાં બટાકાની માગ વધી
  • યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક
  • લોકો ઉપવાસ અને એકટાણાં કરતાં વધી જાય છે ફરાળ

રાજકોટ: શ્રાવણ મહિનો આવતા પરંપરાગત રીતે લોકો ઉપવાસ અને એકટાણાં કરતા હોય છે. જેને લઇને આ દિવસોમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જ્યારે મોટાભાગની ફરાળી વાનગીઓમાં બટાકાની હાજરી જોવા મળે છે. ત્યારે જ્યારે બટાકાની આવક વધતા ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે.
બટાકાનો શ્રાવણ મહિનામાં વધુ ઉપયોગ
શ્રાવણ મહિનામાં ઉપવાસ અને એકટાણાં હોય એવામાં ફરાળી વાનગીઓ પણ લોકો મોટા પ્રમાણમાં આરોગે છે. ત્યારે શ્રાવણ મહિના નિમિત્તે રાજકોટ યાર્ડમાં બટાકાની આવકમાં વધારો થયો છે. જ્યારે બટાકાની માગ પણ શહેરમાં વધુ જોવા મળી રહી છે. એવામાં હાલ દૈનિક ત્રણ લાખ કિલોગ્રામ કરતાં વધુ બટાકાની આવક નોંધાઇ રહી છે. જ્યારે બટાકાની આવક વધુ નોંધાતા ભાવમાં પણ રૂ.10 થી 15નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બટાકાની આવક વધતા ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો તફાવત
હાલ બટાકાની માગ વધી: વેપારી રાજકોટમાં બટાકાનો વ્યવસાય કરતાં જગદીશભાઈએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 18 વર્ષથી બટાકાના વ્યવસાય સાથે જોડાયેલો છું. હાલમાં બટાકાના ભાવ રૂ. 20 રૂપિયા કિલોના છે. જ્યારે ઉપરથી જે પ્રમાણે ભાવ નક્કી થતો હોય તે પ્રમાણે અમે અહીંયા બટાકાનું વેચાણ કરતા હોઈએ છીએ. જ્યારે હાલ શ્રાવણ મહિનો છે એટલે બટાકા વધુ પ્રમાણમાં વેચાઇ રહ્યાં છે. અગાઉ સામાન્ય દિવસોમાં એક કે બે બાચકા બટાકાનું વેચાણ થતું હતું પરંતુ શ્રાવણ મહિના આવ્યા બાદ ત્રણ જેટલા બાચકાનું દરરોજ વેચાણ થાય છે. એક બાચકામાં અંદાજીત 20 કિલો જેટલા બટાકા હોય છે. આ પણ વાંચોઃ ભાવનગરના ચટાકેદાર "બટાકા ભૂંગળા"

આ પણ વાંચોઃ રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, પ્રતિભાનો પટારો

  • શ્રાવણ મહિનો આવતા રાજકોટમાં બટાકાની માગ વધી
  • યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક
  • લોકો ઉપવાસ અને એકટાણાં કરતાં વધી જાય છે ફરાળ

રાજકોટ: શ્રાવણ મહિનો આવતા પરંપરાગત રીતે લોકો ઉપવાસ અને એકટાણાં કરતા હોય છે. જેને લઇને આ દિવસોમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જ્યારે મોટાભાગની ફરાળી વાનગીઓમાં બટાકાની હાજરી જોવા મળે છે. ત્યારે જ્યારે બટાકાની આવક વધતા ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે.
બટાકાનો શ્રાવણ મહિનામાં વધુ ઉપયોગ
શ્રાવણ મહિનામાં ઉપવાસ અને એકટાણાં હોય એવામાં ફરાળી વાનગીઓ પણ લોકો મોટા પ્રમાણમાં આરોગે છે. ત્યારે શ્રાવણ મહિના નિમિત્તે રાજકોટ યાર્ડમાં બટાકાની આવકમાં વધારો થયો છે. જ્યારે બટાકાની માગ પણ શહેરમાં વધુ જોવા મળી રહી છે. એવામાં હાલ દૈનિક ત્રણ લાખ કિલોગ્રામ કરતાં વધુ બટાકાની આવક નોંધાઇ રહી છે. જ્યારે બટાકાની આવક વધુ નોંધાતા ભાવમાં પણ રૂ.10 થી 15નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બટાકાની આવક વધતા ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો તફાવત
હાલ બટાકાની માગ વધી: વેપારી રાજકોટમાં બટાકાનો વ્યવસાય કરતાં જગદીશભાઈએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 18 વર્ષથી બટાકાના વ્યવસાય સાથે જોડાયેલો છું. હાલમાં બટાકાના ભાવ રૂ. 20 રૂપિયા કિલોના છે. જ્યારે ઉપરથી જે પ્રમાણે ભાવ નક્કી થતો હોય તે પ્રમાણે અમે અહીંયા બટાકાનું વેચાણ કરતા હોઈએ છીએ. જ્યારે હાલ શ્રાવણ મહિનો છે એટલે બટાકા વધુ પ્રમાણમાં વેચાઇ રહ્યાં છે. અગાઉ સામાન્ય દિવસોમાં એક કે બે બાચકા બટાકાનું વેચાણ થતું હતું પરંતુ શ્રાવણ મહિના આવ્યા બાદ ત્રણ જેટલા બાચકાનું દરરોજ વેચાણ થાય છે. એક બાચકામાં અંદાજીત 20 કિલો જેટલા બટાકા હોય છે. આ પણ વાંચોઃ ભાવનગરના ચટાકેદાર "બટાકા ભૂંગળા"

આ પણ વાંચોઃ રાજકોટની અઢી વર્ષની યામીને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, પ્રતિભાનો પટારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.