ETV Bharat / city

રાજકોટ: રૂપિયા 118 કરોડના ખર્ચે તૈયાર થનારા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

author img

By

Published : Dec 28, 2020, 3:44 PM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ
રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ
  • રાજકોટમાં બનશે લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજના
  • રૂપિયા 118 કરોડના ખર્ચે તૈયાર કરાશે પ્રોજેક્ટ
  • પીએમ મોદી કરશે પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

2022 સુધીમાં સૌને ઘર મળે તેવું પીએમનું લક્ષ્ય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થીઓ આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા સમયમાં વધુ આવાસ બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશના 6 શહેરોમાં રાજકોટનો કરાયો સમાવેશ

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત માટે 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસ બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઈન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.

આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવશે આવાસ યોજના

ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં વિવિધ ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર કામગીરી MoUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવશે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવશે.

બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરાશે

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.5 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે EWS-II 1144 આવાસોનું (G+13) નિર્માણ કરવામાં આવશે.

લાભાર્થીઓ માટે નવું નજરાણું બની રહેશે

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં 32માં 45 મીટર રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલી 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવી છે. આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવશે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધા ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમશિયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કૉમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવશે.

  • રાજકોટમાં બનશે લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજના
  • રૂપિયા 118 કરોડના ખર્ચે તૈયાર કરાશે પ્રોજેક્ટ
  • પીએમ મોદી કરશે પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

2022 સુધીમાં સૌને ઘર મળે તેવું પીએમનું લક્ષ્ય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થીઓ આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા સમયમાં વધુ આવાસ બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશના 6 શહેરોમાં રાજકોટનો કરાયો સમાવેશ

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત માટે 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસ બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઈન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.

આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવશે આવાસ યોજના

ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં વિવિધ ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર કામગીરી MoUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવશે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવશે.

બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરાશે

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.5 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે EWS-II 1144 આવાસોનું (G+13) નિર્માણ કરવામાં આવશે.

લાભાર્થીઓ માટે નવું નજરાણું બની રહેશે

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં 32માં 45 મીટર રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલી 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવી છે. આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવશે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધા ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમશિયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કૉમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.