ETV Bharat / city

ધોરાજી: જગતના તાતે ખરાબ પાક સળગાવ્યો, બાળકોને લગાડ્યા ખેતરમાં કામે

રાજકોટ: ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જેથી ખેડૂતોએ પાકને બાળી નાખ્યો અને પોતાના બાળકોનો અભ્યાસ છોડાવી ખેતરે કામ કરવા લગાડ્યા.

author img

By

Published : Nov 18, 2019, 9:42 PM IST

ધોરાજીના ખેડૂતે ખરાબ થયેલો પાક સળગાવ્યો

સમગ્ર ગુજરાતમાં 100 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો અને બે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. જેને લઇને મગફળી, કપાસ તથા અન્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ધોરાજી પંથકમાં પણ ખેડૂતોની માઠી દશા જોવા મળી હતી. મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ, ખેત મજુરી અને ખેડૂતોની આશા બધું જ એળે ગયું અને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો.

ધોરાજીના ખેડૂતે ખરાબ થયેલો પાક સળગાવ્યો

પંથકના ખેડૂતો પાસે બીજૂં વાવેતર કરવા જેટલા રૂપિયા નથી ઉપરાંત મજૂરી આપવા જેટલી પણ સ્થિતિ સારી નથી. જેથી ખેડૂતોએ બાળકોનો અભ્યાસ છોડાવી ખેતરમાં કામે લગાડ્યા છે. જેનાથી મજૂરીના રૂપિયા પણ બચી શકે અને પરિવારને રાહત પણ મળી શકે.

ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીના પાકને સળગાવી દીધો છે. અને આખું ખેતર સાફ કરી નાખ્યું છે. જ્યારે અન્ય એક ખેડૂતે પોતાના બાળકનો અભ્યાસ હાલ પૂરતો છોડાવી ખેતરે કામે લગાડ્યો છે.

સમગ્ર ગુજરાતમાં 100 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો અને બે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. જેને લઇને મગફળી, કપાસ તથા અન્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ધોરાજી પંથકમાં પણ ખેડૂતોની માઠી દશા જોવા મળી હતી. મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ, ખેત મજુરી અને ખેડૂતોની આશા બધું જ એળે ગયું અને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો.

ધોરાજીના ખેડૂતે ખરાબ થયેલો પાક સળગાવ્યો

પંથકના ખેડૂતો પાસે બીજૂં વાવેતર કરવા જેટલા રૂપિયા નથી ઉપરાંત મજૂરી આપવા જેટલી પણ સ્થિતિ સારી નથી. જેથી ખેડૂતોએ બાળકોનો અભ્યાસ છોડાવી ખેતરમાં કામે લગાડ્યા છે. જેનાથી મજૂરીના રૂપિયા પણ બચી શકે અને પરિવારને રાહત પણ મળી શકે.

ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીના પાકને સળગાવી દીધો છે. અને આખું ખેતર સાફ કરી નાખ્યું છે. જ્યારે અન્ય એક ખેડૂતે પોતાના બાળકનો અભ્યાસ હાલ પૂરતો છોડાવી ખેતરે કામે લગાડ્યો છે.

Intro:એન્કર : ધોરાજી પંથકમાં પડેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાં એ ખેડૂતો ની વાવણી ઓને અતિ નુકશાન થી પાક ને બાળવાનો વારો આવ્યો અને ખેડૂતો પોતાના બાળકો નો અભ્યાસ બગાડી ને ખેતરે કામ કરવા આવું પડયું.

વિઓ : સમગ્ર ગુજરાતમાં સો ટકા થી પણ વધારે વરસાદ પડ્યો અને બે વાવાઝોડાં અને કમોસમી વરસાદ ને કારણે આખાં વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું અને મગફળી કપાસ તથા અન્ય પાક ને ભારે નુકશાન પહોંચ્યુ ખેડૂતો નાં હાથ માંથી આવેલ કોળીયો કુદરતે છીનવાઈ છે ત્યારે ધોરાજી પંથકમાં પણ ખેડૂતો ની માઠી દશા જોવાં મળી હતી મોંઘા ભાવ ના નાં બિયારણો જંતુનાશક દવાઓ ખેત મજુરી અને ખેડૂતો ની આશા આ બધું જ એળે ગયું અને પાક માં નુકશાની વેઠવાનો વારો આવ્યો અને માન માન પોતાનું ગુજરાન ચલાવતા અને ઉછીઉધારી કરીને સારાં પાક ની અપેક્ષા એ વાવેતર કર્યુ પણ કુદરત એ પણ મંજૂર ન હોય કમોસમી વરસાદ અને વાવાઝોડું તથા ભારે પવન પડતાં ખેતર માં વાવેલ પાક જેવાં કે મગફળી કપાસ ને ભારે નુકશાન થયું જેથી ધોરાજી નાં ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે રૂપિયા પણ નથી ખેતર માં અન્ય પાક કે વાવણી માટે મજુરો ને મજુરી માટે રૂપિયા ની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી જેથી ખેડૂતો નાં બાળકો જે અભ્યાસ કરતાં હોય તેઓને અત્યારે ખેતી કરવા અને મજુરી માટે કામે લગાડી દીધા છે જેથી મજુરી ના રૂપિયા નો બચાવ થાય અને પરીવાર ને થોડી રાહત થાય ધોરાજી નાં એક ખેડૂતે પોતાના ખેતર માં મગફળી ખરાબ થવાં થી પાથરા અને મગફળી ને બાળવાની પરિસ્થિતિ નિર્માણ થવા પામી હોય જેથી મગફળી અને પાથરા ને બાળી નાખ્યા હતા અને આખું ખેતર સાફ કર્યુ હતુ સો ટકા પ્રિમીયમ ભરીને મગફળી નું વાવેતર કર્યુ પણ મગફળી નું વાવેતર સો ટકા નુકશાન થયું હતું અને એક બાજુ ખેડૂતો એ પોતાના બાળક નો અભ્યાસ હાલ પુરતો છોડી ને પુત્ર પોતાના પરિવાર ને ખેતર કામ મા મદદ કરે છે અને સરકાર ને આ ખેડૂત પુત્રો ઘણું કહી જાય છે અને ખેડૂતો સરકાર પાસે રાહત ની અપેક્ષા રાખી રહયાં છે
Body:બાઈટ - ૦૧ અશોકભાઈ બાલધા (ખેડૂત)

બાઈટ - ૦૨ - ધ્રુવીત બાલધા (ખેડૂત પુત્ર) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.