ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણ કર્યુ - Rajkot News

આજે ગુરુવારે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી રૂ.489.50 કરોડનાં વિવિધ વિકાસસક્ષી કામના લોકાર્પણ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ શહેરનાં રૈયા રોડ ખાતે આવેલા આમ્રપાલી રેલવે ક્રોસિંગ પર રૂ.25.53 કરોડનાં ખર્ચે બનેલા અંડરબ્રિજ અને રાજકોટ મ.ન.પા.નાં પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું.

ખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં ૨૫.૫૩ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણ કર્યુ
ખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટમાં ૨૫.૫૩ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણ કર્યુ
author img

By

Published : Jan 21, 2021, 1:52 PM IST

  • અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ
  • બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
  • પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાઇકલ સવારોને ઝંડી આપી

રાજકોટ: આજે રાજકોટમાં અનેક વિકાસ કામોનાં લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યપ્રધાનનાં હસ્તે થયું છે. જેમાં સૌપ્રથમ શહેરનાં રૈયા રોડ ખાતે આવેલા આમ્રપાલી રેલવે ક્રોસિંગ પર રૂ.25.53 કરોડનાં ખર્ચે બનેલા અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું.

બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે

રાજકોટનાં મધ્યમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

અંડરબ્રિજની શરૂઆતમાં લગાવેલી તખ્તીનું અનાવરણ કરતા  મુખ્યપ્રધાન વિજય રૂપાણી
અંડરબ્રિજની શરૂઆતમાં લગાવેલી તખ્તીનું અનાવરણ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી
પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરાયોરાજકોટ મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાઇકલ સવારોને લીલી ઝંડી આપી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભન્ડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ, સહિતના અધિકારી-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  • અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ
  • બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
  • પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાઇકલ સવારોને ઝંડી આપી

રાજકોટ: આજે રાજકોટમાં અનેક વિકાસ કામોનાં લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યપ્રધાનનાં હસ્તે થયું છે. જેમાં સૌપ્રથમ શહેરનાં રૈયા રોડ ખાતે આવેલા આમ્રપાલી રેલવે ક્રોસિંગ પર રૂ.25.53 કરોડનાં ખર્ચે બનેલા અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું.

બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે

રાજકોટનાં મધ્યમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

અંડરબ્રિજની શરૂઆતમાં લગાવેલી તખ્તીનું અનાવરણ કરતા  મુખ્યપ્રધાન વિજય રૂપાણી
અંડરબ્રિજની શરૂઆતમાં લગાવેલી તખ્તીનું અનાવરણ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી
પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરાયોરાજકોટ મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાઇકલ સવારોને લીલી ઝંડી આપી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભન્ડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ, સહિતના અધિકારી-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.