ETV Bharat / city

જેતપુરમાં આહીર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

જેતપુરમાં આહીર સમાજ દ્વારા સરકારી કર્મચારીઓ અધિકારીઓ અને સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

author img

By

Published : Mar 9, 2021, 10:37 AM IST

જેતપુર
જેતપુર
  • યુવાનોમાં ગૌરવનું નિર્માણ થાય તે માટે યોજાયો કાર્યક્રમ
  • જેતપુર શહેર અને તાલુકાના આહીર સમાજના લોકો રહ્યા ઉપસ્થિત
  • આહિર સમાજના પ્રતિભાશાળી લોકોને સન્માન આપવા માટે કાર્યક્રમ યોજાયો

રાજકોટ: જેતપુર શહેર અને તાલુકા આહીર સમાજ દ્વારા આહિર સમાજના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ લોકોના સન્માનને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજ વધુમાં વધુ શિક્ષિત અને સંગઠિત બને તેના ઉપર ભાર આપાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના રૂલર LCBના નારણ પંપાણીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જેમને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ બાળકો યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન સમારોહ
સન્માન સમારોહ

આ પણ વાંચો: જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

  • યુવાનોમાં ગૌરવનું નિર્માણ થાય તે માટે યોજાયો કાર્યક્રમ
  • જેતપુર શહેર અને તાલુકાના આહીર સમાજના લોકો રહ્યા ઉપસ્થિત
  • આહિર સમાજના પ્રતિભાશાળી લોકોને સન્માન આપવા માટે કાર્યક્રમ યોજાયો

રાજકોટ: જેતપુર શહેર અને તાલુકા આહીર સમાજ દ્વારા આહિર સમાજના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ લોકોના સન્માનને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજ વધુમાં વધુ શિક્ષિત અને સંગઠિત બને તેના ઉપર ભાર આપાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના રૂલર LCBના નારણ પંપાણીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જેમને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ બાળકો યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન સમારોહ
સન્માન સમારોહ

આ પણ વાંચો: જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.