ETV Bharat / city

રાજકોટમાં PGમાં રહેતી યુવતીએ PhD કર્યા બાદ પણ નોકરી ન મળતા આપઘાત કર્યો - યુનિવર્સિટી પોલીસ

રાજકોટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ યુવતી મૂળ પોરબંદરના છાયા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેને નોકરી ન મળવાનું કારણ દર્શાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં PGમાં રહેતી યુવતીએ PhD કર્યા બાદ પણ નોકરી ન મળતા આપઘાત કર્યો
રાજકોટમાં PGમાં રહેતી યુવતીએ PhD કર્યા બાદ પણ નોકરી ન મળતા આપઘાત કર્યો
author img

By

Published : Dec 9, 2020, 9:09 AM IST

  • રાજકોટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી પોરબંદરની યુવતીનો આપઘાત
  • યુવતીએ સ્યુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
  • પીએચડી સુધી ભણ્યા બાદ પણ નોકરી ન મળતા યુવતીએ જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી ગુંજન અમરભાઈ ખીરા નામની યુવતીએ સોમવારે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જોકે, તેણે આપઘાત કર્યા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે, જેમાં તેને હવે નોકરી નહીં મળે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, યુવતીએ PhD સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ નોકરી મામલે આપઘાતનું પ્રાથમિક કારણ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

યુવતીએ PhD સુધીનો કર્યો હતો અભ્યાસ
રાજકોટમાં રહેતી ગુંજને PhD સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સાથે અન્ય બે યુવતીઓ પણ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. ગુંજનની મોટી બહેન ડોક્ટર અને પિતા વકીલ છે. સ્યુસાઈડ નોટમાં પોતે વિવિધ જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કર્યો છતાં નોકરી ન મળતા અંતે આ પગલું ભર્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

  • રાજકોટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી પોરબંદરની યુવતીનો આપઘાત
  • યુવતીએ સ્યુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
  • પીએચડી સુધી ભણ્યા બાદ પણ નોકરી ન મળતા યુવતીએ જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી ગુંજન અમરભાઈ ખીરા નામની યુવતીએ સોમવારે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જોકે, તેણે આપઘાત કર્યા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે, જેમાં તેને હવે નોકરી નહીં મળે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, યુવતીએ PhD સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ નોકરી મામલે આપઘાતનું પ્રાથમિક કારણ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

યુવતીએ PhD સુધીનો કર્યો હતો અભ્યાસ
રાજકોટમાં રહેતી ગુંજને PhD સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સાથે અન્ય બે યુવતીઓ પણ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. ગુંજનની મોટી બહેન ડોક્ટર અને પિતા વકીલ છે. સ્યુસાઈડ નોટમાં પોતે વિવિધ જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કર્યો છતાં નોકરી ન મળતા અંતે આ પગલું ભર્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.