ETV Bharat / city

શિવે ધારણ કરેલા આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ

શિવે શરીર પર ધારણ કરેલા 8 પ્રતીકો પ્રત્યેક શિવ સાધક માટે ખૂબ મહત્વ રાખે છે. શા માટે ભગવાન શિવે 8 પ્રતીક તેમના શરીર પર ધારણ કર્યા હતા... ? હાલ જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે ભગવાન શિવ અને જીવના મિલન સમા મેળામાં શિવના આઠ પ્રતીક પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આઠ પ્રતીકની શક્તિ અને તેના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી શિવભક્તો ભવનાથ તળેટી તરફ આવે છે.

author img

By

Published : Mar 10, 2021, 5:25 PM IST

આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ
આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ
  • શિવના શરીર પર જોવા મળતા 8 પ્રતીકો અને તેનું ધાર્મિક મહત્વ
  • ત્રિશૂલ, રુદ્રાક્ષ, ડમરું, જટા, બાઘમ્બર, સર્પ, ભભૂત, ચંદ્ર, ભોળાનાથના 8 પ્રતીકો
  • 8 પ્રતીકો આજે પણ એટલા જ મહત્ત્વના છે જે આદિ-અનાદિ કાળ પહેલાં જોવા મળતા

જૂનાગઢ: જિલ્લામાં ભવનાથની ગિરિ તળેટી શિવમય બની રહી છે. મહાશિવરાત્રી મેળાનો ધાર્મિક આસ્થા સાથે પ્રારંભ થયો છે. આ મેળામાં ભગવાન શિવને જાણવા અને શિવની સમીપ જવા માટે શિવભક્તો મેળાની મુલાકાત લેતા હોય છે.મેળામાં ભગવાન શિવ અને જીવના મિલનના પર્યાય રૂપે ગિરિ તળેટી સાક્ષી બની રહી છે. ત્યારે મેળામાં નાગા સાધુઓના દર્શનની સાથે શિવે તેમના શરીર પર ધારણ કરેલા 8 પ્રતીકોનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ આઠ પ્રતીક વિના શિવરાત્રીનો મેળો અધૂરો ગણવામાં આવે છે.

આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ
આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ

આ પણ વાંચો: અલખને ઓટલે ધુણી ધખાવતી શક્તિ સમાન મહિલા સાધુઓ

જટા અને ચંદ્રનું મહત્ત્વ

ભગવાન શિવના 8 પ્રતિકમાં સર્વપ્રથમ ચંદ્ર આવે છે. મનની સ્થિરતા અને અનંતના પ્રતિક રૂપે ભગવાન શિવે તેની જટા પર ચંદ્રને ધારણ કર્યું છે. જટાને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. ભગવાન શિવે સ્વર્ગમાંથી વહીને પૃથ્વીલોક તરફ આવતી ગંગાને પોતાની જટામાં સ્થાન આપ્યું હતું, માટે શિવની જટા પણ શિવ ચરિત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો: ભવનાથ મહાદેવ મંદિર પર ધર્મ ધજાનું આરોહણ કરીને મહાશિવરાત્રી મેળાનો થયો પ્રારંભ

ત્રિશૂલ અને ડમરુંનું મહત્ત્વ

ભગવાન શિવે તેમના કપાળ પર ત્રિનેત્ર ધારણ કરેલું છે. આ ત્રિનેત્ર અનિષ્ટો અને સમાનતાના વધ કરવા માટે ભગવાન શિવે તેના કપાળ પર ત્રિનેત્ર ધારણ કર્યું હતું. ભગવાન શિવની ત્રિશુલ વગરની કલ્પના થઈ જ ન શકે. ત્રિશૂલને ત્રણ શક્તિના પ્રતિક સ્વરૂપે જોવામાં આવે છે. જ્ઞાન ઈચ્છા અને પૂર્ણતાના સૂચકના પ્રતિક સ્વરૂપે ભગવાન શિવે ત્રિશૂલને ધારણ કર્યું હતું, જ્યારે ડમરુંએ સૃષ્ટિનો આરંભ અને બ્રહ્નાંડના પ્રતીકરૂપે માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથ હર હંમેશા માટે તેમની સાથે ડમરું રાખે છે.

રુદ્રાક્ષ,સર્પની માળા અને બાઘમ્બરનું મહત્ત્વ

રુદ્રાક્ષને શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે, માટે જ કહેવાય છે કે જે શુદ્ધ અને સાત્ત્વિક હોઈ તે જ રુદ્રાક્ષ ધારણ કરી શકે અને શિવમય બનવા આગળ વધી શકે. સર્પની માળા ભગવાન શિવ તેના કંઠમાં સદાને માટે ધારણ કરેલા જોવા મળે છે. આ સર્પમાળા અહંકારને કાબુમાં રાખવા માટે ભગવાન શિવ હર હંમેશા તેમના કંઠ પર ધારણ કરે છે. એટલે જ ભોળાનાથને નીલકંઠ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભગવાન શિવ જે જગ્યા પર આસન લગાવતા હતા તેના પર બાઘમ્બર બિછાવવામાં આવતું હતું. આ બાઘમ્બર નીડરતા અને દ્રઢતાનું પ્રતીક છે.

ત્રિશૂલ, રુદ્રાક્ષ, ડમરું, જટા, બાઘમ્બર, સર્પ, ભભૂત, ચંદ્ર, ભોળાનાથના 8 પ્રતીકો

  • શિવના શરીર પર જોવા મળતા 8 પ્રતીકો અને તેનું ધાર્મિક મહત્વ
  • ત્રિશૂલ, રુદ્રાક્ષ, ડમરું, જટા, બાઘમ્બર, સર્પ, ભભૂત, ચંદ્ર, ભોળાનાથના 8 પ્રતીકો
  • 8 પ્રતીકો આજે પણ એટલા જ મહત્ત્વના છે જે આદિ-અનાદિ કાળ પહેલાં જોવા મળતા

જૂનાગઢ: જિલ્લામાં ભવનાથની ગિરિ તળેટી શિવમય બની રહી છે. મહાશિવરાત્રી મેળાનો ધાર્મિક આસ્થા સાથે પ્રારંભ થયો છે. આ મેળામાં ભગવાન શિવને જાણવા અને શિવની સમીપ જવા માટે શિવભક્તો મેળાની મુલાકાત લેતા હોય છે.મેળામાં ભગવાન શિવ અને જીવના મિલનના પર્યાય રૂપે ગિરિ તળેટી સાક્ષી બની રહી છે. ત્યારે મેળામાં નાગા સાધુઓના દર્શનની સાથે શિવે તેમના શરીર પર ધારણ કરેલા 8 પ્રતીકોનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ આઠ પ્રતીક વિના શિવરાત્રીનો મેળો અધૂરો ગણવામાં આવે છે.

આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ
આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ

આ પણ વાંચો: અલખને ઓટલે ધુણી ધખાવતી શક્તિ સમાન મહિલા સાધુઓ

જટા અને ચંદ્રનું મહત્ત્વ

ભગવાન શિવના 8 પ્રતિકમાં સર્વપ્રથમ ચંદ્ર આવે છે. મનની સ્થિરતા અને અનંતના પ્રતિક રૂપે ભગવાન શિવે તેની જટા પર ચંદ્રને ધારણ કર્યું છે. જટાને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. ભગવાન શિવે સ્વર્ગમાંથી વહીને પૃથ્વીલોક તરફ આવતી ગંગાને પોતાની જટામાં સ્થાન આપ્યું હતું, માટે શિવની જટા પણ શિવ ચરિત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો: ભવનાથ મહાદેવ મંદિર પર ધર્મ ધજાનું આરોહણ કરીને મહાશિવરાત્રી મેળાનો થયો પ્રારંભ

ત્રિશૂલ અને ડમરુંનું મહત્ત્વ

ભગવાન શિવે તેમના કપાળ પર ત્રિનેત્ર ધારણ કરેલું છે. આ ત્રિનેત્ર અનિષ્ટો અને સમાનતાના વધ કરવા માટે ભગવાન શિવે તેના કપાળ પર ત્રિનેત્ર ધારણ કર્યું હતું. ભગવાન શિવની ત્રિશુલ વગરની કલ્પના થઈ જ ન શકે. ત્રિશૂલને ત્રણ શક્તિના પ્રતિક સ્વરૂપે જોવામાં આવે છે. જ્ઞાન ઈચ્છા અને પૂર્ણતાના સૂચકના પ્રતિક સ્વરૂપે ભગવાન શિવે ત્રિશૂલને ધારણ કર્યું હતું, જ્યારે ડમરુંએ સૃષ્ટિનો આરંભ અને બ્રહ્નાંડના પ્રતીકરૂપે માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથ હર હંમેશા માટે તેમની સાથે ડમરું રાખે છે.

રુદ્રાક્ષ,સર્પની માળા અને બાઘમ્બરનું મહત્ત્વ

રુદ્રાક્ષને શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે, માટે જ કહેવાય છે કે જે શુદ્ધ અને સાત્ત્વિક હોઈ તે જ રુદ્રાક્ષ ધારણ કરી શકે અને શિવમય બનવા આગળ વધી શકે. સર્પની માળા ભગવાન શિવ તેના કંઠમાં સદાને માટે ધારણ કરેલા જોવા મળે છે. આ સર્પમાળા અહંકારને કાબુમાં રાખવા માટે ભગવાન શિવ હર હંમેશા તેમના કંઠ પર ધારણ કરે છે. એટલે જ ભોળાનાથને નીલકંઠ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભગવાન શિવ જે જગ્યા પર આસન લગાવતા હતા તેના પર બાઘમ્બર બિછાવવામાં આવતું હતું. આ બાઘમ્બર નીડરતા અને દ્રઢતાનું પ્રતીક છે.

ત્રિશૂલ, રુદ્રાક્ષ, ડમરું, જટા, બાઘમ્બર, સર્પ, ભભૂત, ચંદ્ર, ભોળાનાથના 8 પ્રતીકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.