જૂનાગઢ: શુક્રવારે અકસ્માતે ગીર પૂર્વના રાયડી વિસ્તારમાં આવેલી અને છેલ્લાં ઘણા સમયથી બંધ પડેલી શાળાના મકાનમાં 4 સિંહ બાળકો આવી ગયા હતા. જેથી આ અંગે વન-વિભાગને જાણ કરવાથી વન-વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
વન-વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ તમામ 4 બાળકોનું રેસ્ક્યૂ કરી લીધું હતું. આ ઉપરાંત સિંહના બાળકો તંદુરસ્ત હોવાથી કોઈ પણ પ્રકારની તબીબી ચકાસણી કર્યા વિના તેને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.