જૂનાગઢ: ભારતના 2 રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર અને ગણતંત્ર પર્વના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવે છે. 15મી ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને દોરીથી બાંધીને નીચેથી ઉપરની તરફ લઇ જઈને ફરકાવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજને ઉપર જ ફરકાવવામાં આવે છે.
15 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીયધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ખોલીને ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજારોહણ’ કહેવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં Flag Hoisting કહેવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના પ્રસંગે રાષ્ટ્રધ્વજ ઉપરથી જ બાંધેલો હોય છે. જેને ખોલીને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજ ફરકાવવો’ કહેવાય છે અને તેને અંગ્રેજીમાં Flag Unfurling તરીકે ઓળખવામાં આવે છે.