ETV Bharat / city

કોરોના મહામારી વચ્ચે જૂનાગઢ મનપા તંત્ર લોકોની સેવા-સુવિધા માટે આજે પણ ખડેપગે...

author img

By

Published : Sep 22, 2020, 5:00 PM IST

ગત માર્ચ મહિનાથી કોરોના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી લઈને આજદિન સુધી જૂનાગઢ મનપા તંત્ર દ્વારા કોર્પોરેશન વિસ્તારના લોકોને ઓછી મુશ્કેલીઓ પડે અને તેમના કામો સરળતાથી પાર પડી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન અને કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા પરંતુ લોકોની ચિંતા કરીને ઓછા કર્મચારીઓની વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ લોકોની સેવા માટે આજે પણ ખડે પગે જોવા મળી રહ્યા છે.

fd
ffd

જૂનાગઢઃ કોરોના સંક્રમણના વધી રહેલા ખતરાને પગલે ગત માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજદિન સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર લોકોની સમસ્યાઓને સાંભળીને તેનું યોગ્ય અને ઝડપથી નિરાકરણ થાય તે માટે આજે પણ કામ કરી રહી છે. કોરોના સંક્રમણ કાળમાં લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ મળી રહે તે માટે સમગ્ર શહેરમાં સતત કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હતું. તો બીજી તરફ લોકોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તૈયાર ભોજન વહીવટી તંત્રના અધિકારીઓ જરૂરિયાત મંદ લોકોને તે ભોજન પહોંચાડતા હતાં.

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢ મનપા તંત્ર લોકોની સેવા અને સુવિધા માટે આજે પણ ખડે પગે

ત્યારબાદ તબક્કાવાર અનલોકના તબક્કામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અછતની વચ્ચે પણ સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમય દરમિયાન કોર્પોરેશનના 15 કરતાં વધુ કર્મચારીઓ જાણે-અજાણે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતાં. આવી પરિસ્થિતિમાં કર્મચારીઓની અછતની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર ધિરાણ યોજના અંતર્ગત તમામ લોકોને ધિરાણ અંગેની પૂરતી માહિતી અને કાયદાકીય વ્યવસ્થાઓ પણ અહીંથી જોવામાં આવી હતી.

આ ઉપરાંત આધાર કાર્ડ જેવી જરૂરિયાતો વાળી કામગીરી પણ તાકીદે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને લોકોને ધિરાણ મેળવવું હોય તે લોકોનું આધાર કાર્ડ વગર તેનું ધિરાણ અટકે નહી અને તેમને મદદ કરી શકાય.

જૂનાગઢઃ કોરોના સંક્રમણના વધી રહેલા ખતરાને પગલે ગત માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજદિન સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર લોકોની સમસ્યાઓને સાંભળીને તેનું યોગ્ય અને ઝડપથી નિરાકરણ થાય તે માટે આજે પણ કામ કરી રહી છે. કોરોના સંક્રમણ કાળમાં લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ મળી રહે તે માટે સમગ્ર શહેરમાં સતત કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હતું. તો બીજી તરફ લોકોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તૈયાર ભોજન વહીવટી તંત્રના અધિકારીઓ જરૂરિયાત મંદ લોકોને તે ભોજન પહોંચાડતા હતાં.

કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢ મનપા તંત્ર લોકોની સેવા અને સુવિધા માટે આજે પણ ખડે પગે

ત્યારબાદ તબક્કાવાર અનલોકના તબક્કામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની અછતની વચ્ચે પણ સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમય દરમિયાન કોર્પોરેશનના 15 કરતાં વધુ કર્મચારીઓ જાણે-અજાણે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતાં. આવી પરિસ્થિતિમાં કર્મચારીઓની અછતની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર ધિરાણ યોજના અંતર્ગત તમામ લોકોને ધિરાણ અંગેની પૂરતી માહિતી અને કાયદાકીય વ્યવસ્થાઓ પણ અહીંથી જોવામાં આવી હતી.

આ ઉપરાંત આધાર કાર્ડ જેવી જરૂરિયાતો વાળી કામગીરી પણ તાકીદે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને લોકોને ધિરાણ મેળવવું હોય તે લોકોનું આધાર કાર્ડ વગર તેનું ધિરાણ અટકે નહી અને તેમને મદદ કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.