ETV Bharat / city

કોરોના ઈફેક્ટ: જૂનાગઢમાં ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો

author img

By

Published : Oct 7, 2020, 8:14 PM IST

કોરોના વાઇરસને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 લાખ કરતાં વધુ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો છે.

ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો

જૂનાગઢ: કોરોના વાઇરસને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 લાખ કરતાં વધુ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો છે.

ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણનો કહેર હવે ખાદીની ખરીદી પર પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 2 ઓક્ટોબરના દિવસે રૂપિયા 5,29,363ની ખરીદી એક દિવસમાં થઇ હતી. જ્યારે આ વર્ષે રૂપિયા 2,92,450ની ખરીદી થઈ છે. ગત 2 વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે 2,36,913 જેટલા રૂપિયાની ખરીદી ઓછી થતી જોવા મળી રહી છે. ઓછી ખરીદી પાછળ સતત ફેલાઈ રહેલું કોરોના સંક્રમણ જવાબદાર હોવાનું જૂનાગઢ ખાદી ભંડારના સંચાલકો માની રહ્યા છે.

ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
◆ કોરોના સંક્રમણ ખાદી પર ભારે પડતું જોવા મળી રહ્યું છે◆ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક જ દિવસમાં ખાદીની ખરીદીમાં મસ મોટો ઘટાડો ◆ વર્ષ 2019/20માં રૂપિયા 5,29,363ની એક દિવસમાં ખરીદી થઈ હતી◆ વર્ષ 2020/21માં રૂપિયા 2,92,450ની ખરીદી ગાંધી જયંતીના દિવસે થઈ હતીકોરોનાનો કહેર ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી પર પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી માટે લોકોનો ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક જ દિવસમાં અંદાજીત પાંચ લાખ કરતાં વધુ ખાદીની ચીજ વસ્તુઓનું વેંચાણ જુનાગઢ ખાદી ભંડારમાં થયું હતું, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે ખાદીની ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકોનો ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે બે લાખ કરતાં વધુની ખાદીની ચીજ વસ્તુઓની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી છે.
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
વર્ષ 2019 / 20માં ગાંધી જયંતીના દિવસે રૂપિયા 5,29,363 ખાદી અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી જુનાગઢ ખાદી ભંડારમાં થયેલી જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કહેરની વચ્ચે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે લોકો ખરીદી માટે નીકળે છે તે ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય ચીજવસ્તુઓની ખરીદી માટે જ બજારમાં આવતા જોવા મળે છે. જેની વિપરીત અસરો આ વર્ષની ગાંધી જયંતી પર જોવા મળી રહી છે. આ વર્ષે રૂપિયા 2,92,450ની ખાદી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી ખાદી ભંડારમાં થઈ છે. જેની ગત વર્ષ સાથે તુલના કરીએ તો આ વર્ષે રૂપિયા 2,36,913ની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ: કોરોના વાઇરસને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 લાખ કરતાં વધુ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો છે.

ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણનો કહેર હવે ખાદીની ખરીદી પર પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 2 ઓક્ટોબરના દિવસે રૂપિયા 5,29,363ની ખરીદી એક દિવસમાં થઇ હતી. જ્યારે આ વર્ષે રૂપિયા 2,92,450ની ખરીદી થઈ છે. ગત 2 વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે 2,36,913 જેટલા રૂપિયાની ખરીદી ઓછી થતી જોવા મળી રહી છે. ઓછી ખરીદી પાછળ સતત ફેલાઈ રહેલું કોરોના સંક્રમણ જવાબદાર હોવાનું જૂનાગઢ ખાદી ભંડારના સંચાલકો માની રહ્યા છે.

ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
◆ કોરોના સંક્રમણ ખાદી પર ભારે પડતું જોવા મળી રહ્યું છે◆ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક જ દિવસમાં ખાદીની ખરીદીમાં મસ મોટો ઘટાડો ◆ વર્ષ 2019/20માં રૂપિયા 5,29,363ની એક દિવસમાં ખરીદી થઈ હતી◆ વર્ષ 2020/21માં રૂપિયા 2,92,450ની ખરીદી ગાંધી જયંતીના દિવસે થઈ હતીકોરોનાનો કહેર ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી પર પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી માટે લોકોનો ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક જ દિવસમાં અંદાજીત પાંચ લાખ કરતાં વધુ ખાદીની ચીજ વસ્તુઓનું વેંચાણ જુનાગઢ ખાદી ભંડારમાં થયું હતું, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે ખાદીની ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકોનો ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે બે લાખ કરતાં વધુની ખાદીની ચીજ વસ્તુઓની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી છે.
ખાદીની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો
વર્ષ 2019 / 20માં ગાંધી જયંતીના દિવસે રૂપિયા 5,29,363 ખાદી અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી જુનાગઢ ખાદી ભંડારમાં થયેલી જોવા મળતી હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કહેરની વચ્ચે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે લોકો ખરીદી માટે નીકળે છે તે ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય ચીજવસ્તુઓની ખરીદી માટે જ બજારમાં આવતા જોવા મળે છે. જેની વિપરીત અસરો આ વર્ષની ગાંધી જયંતી પર જોવા મળી રહી છે. આ વર્ષે રૂપિયા 2,92,450ની ખાદી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી ખાદી ભંડારમાં થઈ છે. જેની ગત વર્ષ સાથે તુલના કરીએ તો આ વર્ષે રૂપિયા 2,36,913ની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.