ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું

author img

By

Published : Sep 10, 2020, 5:42 PM IST

આજથી રાજ્ય સરકારની ખેડૂતો માટેની સાધન સહાય યોજનાનો લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાંથી જૂનાગઢ ખાતે કર્યું હતું આ યોજના થકી ખેડૂતોને સબસિડીપાત્ર સાધનસહાય આપવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું

જૂનાગઢઃ આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂત સાધન સહાય યોજના અમલમાં મૂકવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને રાજ્યવ્યાપી યોજનાનું ગાંધીનગર સ્થિત તેમની કચેરીએથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આજે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી સભાખંડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ હાજરી આપીને યોજના અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. આ યોજના થકી ખેડૂતો તેમની કૃષિ જણશોને ખેતરથી બજાર અને બજારથી ખેતર સુધી લાવી શકશે, જેમાં ખેડૂતોની મહેનતથી લઈને સમયનો બચાવ થશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું
આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા વાહનો તેના પર મળતી સબસિડી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાધન સહાય થકી ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરી શકે અને તેમની કૃષિપેદાશો ખેતરથી ઘર અને ઘરથી ખેતર સુધી સમયનો સદુપયોગ કરીને પહોંચાડી શકે તેવા ઉદ્દેશ્ય સાથે યોજના આજથી સમગ્ર રાજ્યમાં લાગુ થવા જઇ રહી છે જેનો આજે જૂનાગઢમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું

જૂનાગઢઃ આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂત સાધન સહાય યોજના અમલમાં મૂકવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને રાજ્યવ્યાપી યોજનાનું ગાંધીનગર સ્થિત તેમની કચેરીએથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આજે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી સભાખંડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ હાજરી આપીને યોજના અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. આ યોજના થકી ખેડૂતો તેમની કૃષિ જણશોને ખેતરથી બજાર અને બજારથી ખેતર સુધી લાવી શકશે, જેમાં ખેડૂતોની મહેનતથી લઈને સમયનો બચાવ થશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું
આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા વાહનો તેના પર મળતી સબસિડી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાધન સહાય થકી ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરી શકે અને તેમની કૃષિપેદાશો ખેતરથી ઘર અને ઘરથી ખેતર સુધી સમયનો સદુપયોગ કરીને પહોંચાડી શકે તેવા ઉદ્દેશ્ય સાથે યોજના આજથી સમગ્ર રાજ્યમાં લાગુ થવા જઇ રહી છે જેનો આજે જૂનાગઢમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.