ETV Bharat / city

જામનગરનું રણમલ તળાવ તળિયાઝાટક,જીવસૃષ્ટિને ખતરો

જામનગર: શહેરીજનો માટે હવે દુકાળમાં અધિકમાસ જેવી પરિસ્થિતિ જોવા મળી છે. આમ જોવા જઈએ તો જામનગરમાં વરસાદ સારો પડ્યો છે, તો પણ દરરોજ પાણી વિતરણ કોઈ પણ બહાના હેઠળ કરવામાં આવતું નથી. એવામાં ગયા વર્ષે ચોમાસુ નબળું જતા રણમલ તળાવમાં પાણીનો જથ્થો નહિવત હોવાના કારણે પાણીનું લેવલ ઘટી જતાં તળાવમાં રહેલા જીવસૃષ્ટિનું પાણીના અભાવે મૃત્યુ થવાની સંભાવનાઓ રહેલી છે.

author img

By

Published : May 22, 2019, 2:38 PM IST

જામનગરનું રણમલ તળાવ તળિયાઝાટક,જીવસૃષ્ટિને ખતરો.

લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજનાનુ પાણી ઠાલવી અને શાસકો દ્વારા લોકોને તાળીઓ પડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે જોઈએ તો પરિસ્થિતિ ટાઈ ટાઈ ફીશ જેવી લોકોને જણાય રહી છે. અધૂરામાં પૂરું ગુજરાતી કહેવત પ્રમાણે દુકાળમાં અધિક માસની જેમ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યુ છે કે રણમલ તળાવમાં પાણી નો જથ્થો નહિવત હોવાના કારણે તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભજળનું જળ નીચું જતું રહ્યું છે, આ સાથે જ તળાવમાં પાણીનું લેવલ ઘટી જતાં તળાવમાં રહેલ જીવસૃષ્ટિનું પાણીના અભાવે મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહેલી છે,જેને ધ્યાને રાખીને હાલ શહેરમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે, અને તેમાં 10 દિવસનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે, તો આગામી તા.23 મે થી ૧ જૂન સુધી શહેરમાં પાણી કાપ મૂકી રો-વોટરનો જથ્થો રણમલ તળાવમાં ઠાલવવાનું તંત્રએ નક્કી કરી નાખ્યું છે, ત્યારે શહેર ભરમાંથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે તળાવની અંદર આવેલ જીવશ્રુષ્ટિને બચાવવાનો નિર્ણય સરાહનીય કહી શકાય પણ તેના જે આયોજનો કરવામાં આવેલું હતું તેનું શું ?

જામનગર
જામનગરનું રણમલ તળાવ તળિયાઝાટક,વસૃષ્ટિને ખતરો..

આ જ જીવ સૃષ્ટીને બચાવવા માટે આજથી ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બે મોટા બોર અને બીજા સામાન્ય ખાડાઓ બનાવવામાં આવ્યા હતા, જેથી પંપથી તેમાંથી પાણી ખેંચી તળાવમા છોડાય અને સમગ્ર સપાટી પાણીથી ભરેલી લાગે અને તેમાં રહેલ જીવસૃષ્ટી બચી શકે.ખાસ કરીને પક્ષીઓને આશ્રય મળી જાય અને તળાવ રમણીય અને લોકેને આકર્ષણનું કેન્દ્ર લાગે. તળાવમાં જે બોર છે તેનાથી ભલે તળાવ આખું ન ભરાય તો પણ તેમાં રહેલી જીવ સૃષ્ટિની જાળવણી તો થાય તેવો હેતુ પણ હતો. આમ જોવા જઈએ તો એક બોર માટે એક લાખથી પણ વધુ ખર્ચ થાય તેવા બોર બનાવવામાં આવ્યા છે તો તેનું શું ? પાઇપલાઇન અને મશીનરી વગેરેના બીજા ખર્ચા જે કરવા માં આવ્યા હતા તેનું શું થયું ..? કોના પાપે આ બોર બુરાઇ ગયા અને મશીનરી સગેવગે થઇ ગઇ હોય અને "કરે કોઈક અને ભરે કોઈક"આવા અનેક પ્રશ્ન તેમજ ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજનાનુ પાણી ઠાલવી અને શાસકો દ્વારા લોકોને તાળીઓ પડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે જોઈએ તો પરિસ્થિતિ ટાઈ ટાઈ ફીશ જેવી લોકોને જણાય રહી છે. અધૂરામાં પૂરું ગુજરાતી કહેવત પ્રમાણે દુકાળમાં અધિક માસની જેમ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યુ છે કે રણમલ તળાવમાં પાણી નો જથ્થો નહિવત હોવાના કારણે તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભજળનું જળ નીચું જતું રહ્યું છે, આ સાથે જ તળાવમાં પાણીનું લેવલ ઘટી જતાં તળાવમાં રહેલ જીવસૃષ્ટિનું પાણીના અભાવે મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહેલી છે,જેને ધ્યાને રાખીને હાલ શહેરમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે, અને તેમાં 10 દિવસનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે, તો આગામી તા.23 મે થી ૧ જૂન સુધી શહેરમાં પાણી કાપ મૂકી રો-વોટરનો જથ્થો રણમલ તળાવમાં ઠાલવવાનું તંત્રએ નક્કી કરી નાખ્યું છે, ત્યારે શહેર ભરમાંથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે તળાવની અંદર આવેલ જીવશ્રુષ્ટિને બચાવવાનો નિર્ણય સરાહનીય કહી શકાય પણ તેના જે આયોજનો કરવામાં આવેલું હતું તેનું શું ?

જામનગર
જામનગરનું રણમલ તળાવ તળિયાઝાટક,વસૃષ્ટિને ખતરો..

આ જ જીવ સૃષ્ટીને બચાવવા માટે આજથી ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બે મોટા બોર અને બીજા સામાન્ય ખાડાઓ બનાવવામાં આવ્યા હતા, જેથી પંપથી તેમાંથી પાણી ખેંચી તળાવમા છોડાય અને સમગ્ર સપાટી પાણીથી ભરેલી લાગે અને તેમાં રહેલ જીવસૃષ્ટી બચી શકે.ખાસ કરીને પક્ષીઓને આશ્રય મળી જાય અને તળાવ રમણીય અને લોકેને આકર્ષણનું કેન્દ્ર લાગે. તળાવમાં જે બોર છે તેનાથી ભલે તળાવ આખું ન ભરાય તો પણ તેમાં રહેલી જીવ સૃષ્ટિની જાળવણી તો થાય તેવો હેતુ પણ હતો. આમ જોવા જઈએ તો એક બોર માટે એક લાખથી પણ વધુ ખર્ચ થાય તેવા બોર બનાવવામાં આવ્યા છે તો તેનું શું ? પાઇપલાઇન અને મશીનરી વગેરેના બીજા ખર્ચા જે કરવા માં આવ્યા હતા તેનું શું થયું ..? કોના પાપે આ બોર બુરાઇ ગયા અને મશીનરી સગેવગે થઇ ગઇ હોય અને "કરે કોઈક અને ભરે કોઈક"આવા અનેક પ્રશ્ન તેમજ ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.



GJ_JMR_02_22MAY_RANMAL_PANI_7202728

જામનગરનું રણમલ તળાવ તળિયાઝાટક....જીવસૃષ્ટિને ખતરો...

ફોટો સ્ટોરી

જામનગરના શહેરીજનો હવે માટે થસે દુકાળ માં અધિકમાસ જેવી પરિસ્થિતિ આમ જોવા જઈએ તો જામનગર ને વરસાદ સારો પડ્યો હોઈ તો પણ દરરોજ પાણી વિતરણ કોઈ પણ બહાના હેઠળ કરવામાં આવ્યું જ નથી. એવામાં ગયા વર્ષ ચોમાસુ નબળું જતા શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ તળિયા ઝાટક થઈ જવાની તૈયારીમાં હતો...

ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજનાનુ પાણી ઠાલવી અને શાસકો દ્વારા લોકોને તાળીઓ પડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.પણ આ અત્યારે જોઈ તો પરિસ્થિતિ ટાઈ ટાઈ ફીશ જેવી લોકો ને જણાય રહી છે.


અધૂરામાં પૂરું ગુજરાતી કહેવત પ્રમાણે દુકાળ માં અધિક માસ ની જેમ જામનગર મહાનગરપાલિકા ના વોટરવર્કસ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યુ છે કે રણમલ તળાવમાં પાણી નો જથ્થો નહિવત હોવાના કારણે તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભજળનું જળ નીચું જતું રહ્યું છે

અને તળાવમાં પાણીનું લેવલ ઘટી જતાં તળાવમાં રહેલ જીવસૃષ્ટિનું પાણીના અભાવે મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહેલી છે,જેને ધ્યાને રાખીને હાલ શહેરમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે, અને તેમાં ૧૦ દિવસનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે,
તા.૨૩ મે થી ૧ જૂન સુધી શહેરમાં પાણી કાપ મૂકી રો-વોટરનો જથ્થો રણમલ તળાવમાં ઠાલવવાનું તંત્રએ નક્કી કરી નાખ્યું છે, ત્યારે શહેર ભરમાંથી અનેક સવાલું ઉઠવા પામ્યું છે કે તળાવની અંદર આવેલ જીવશ્રુષ્ટિને બચાવવાનો નિર્ણય સરાહનીય કહી શકાય પણ તેના માટે ગાય જે આયોજનો કરવા માં આવેલ હતું તેનું શું ?

આ જ જીવ સૃષ્ટીને બચાવવા માટે આજથી ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બે મોટા બોર અને બીજા સામાન્ય ખાડાઓ બનાવવામાં આવેલ જેથી પંપથી તેમાંથી પાણી ખેંચી તળાવમા છોડાય અને સમગ્ર સપાટી પાણીથી ભરેલી લાગે અને તેમાં રહેલ જીવસૃષ્ટી બચી શકે..

ખાસ કરીને પક્ષીઓ આશ્રય મળી જાય અને તળાવ રમણીય અને લોકેને આકર્ષણનું કેન્દ્ર લાગે. તળાવ માં જે બોર છે તેનાથી ભલે તળાવ આખું ન ભરાય તો પણ તેમાં રહેલ જીવ સૃષ્ટિની જાળવણી તો થાય તેવો હેતુ પણ હતો..આમ જોવા જઈએ તો આમાં કરલ એક બોર માટે એક લાખથી પણ વધુ ખર્ચ થાય તેવા બોર બનાવ્યા આવ્યા છે તો તેનું શું ? પાઇપલાઇન અને મશીનરી વગેરેના બીજા ખર્ચા જે કરવા માં આવ્યા હતા તેનું શું થયું ..?

કોના પાપે આ બોર બુરાઇ ગયા અને મશીનરી સગેવગે થઇ ગઇ હોય અને "કરે કોઈક અને ભરે કોઈક" તેવા અનેક સવાલો તેમજ ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.