ETV Bharat / city

જામનગર મનપા કમિશ્નરે વેક્સિનેશન પર કરી ETV Bharat સાથે ખાસ વાતચીત....

author img

By

Published : May 1, 2021, 12:57 PM IST

રાજ્યમાં આજે શનિવારથી 18 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવાઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શનિવારથી રાજ્યના જે 10 જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ છે તે જિલ્લામાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે.

પ્રથમ દિવસે 15 હજાર ડોઝ વેક્સિન અપાઈ
પ્રથમ દિવસે 15 હજાર ડોઝ વેક્સિન અપાઈ
  • જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન કાર્યક્રમ
  • પ્રથમ દિવસે 15 હજાર ડોઝ વેક્સિન અપાઈ
  • કમિશ્નર સતીષ પટેલે આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

જામનગર: ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અત્યારે ગુજરાતના 10 જિલ્લામાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં જુદા-જુદા 15 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. Etv Bharat સાથે વાત કરતાં જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, જામનગર શહેરમાં વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં 18થી 45 વર્ષની વયના લોકો રસી લેવા માટે વિવિધ આરોગ્ય કેન્દ્ર પર આવી રહ્યા છે.

જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન કાર્યક્રમ

આ પણ વાંચો: રાજ્યમાં શનિવારથી 18 વર્ષથી ઉપરના યુવાનોને અપાશે વેક્સિન

બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં રસી આપવામાં આવશે

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અહીં આરોગ્ય કેન્દ્ર પર જરૂરી સુચનો પણ કર્યા હતા. કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યક્તિને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા

જામનગરના યુવાઓમાં વેક્સિન લેવા માટે જોવા મળી રહ્યો છે ઉત્સાહ

જામનગરમાં સવારે 9 વાગ્યાથી જ વિવિધ આરોગ્ય કેન્દ્ર પર યુવક અને યુવતીઓ વચ્ચે રસી લેવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને રસી વ્યક્તિને કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે લોકોમાં પણ જાગૃતિ આવી છે અને વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે.

  • જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન કાર્યક્રમ
  • પ્રથમ દિવસે 15 હજાર ડોઝ વેક્સિન અપાઈ
  • કમિશ્નર સતીષ પટેલે આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

જામનગર: ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અત્યારે ગુજરાતના 10 જિલ્લામાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં જુદા-જુદા 15 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. Etv Bharat સાથે વાત કરતાં જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, જામનગર શહેરમાં વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં 18થી 45 વર્ષની વયના લોકો રસી લેવા માટે વિવિધ આરોગ્ય કેન્દ્ર પર આવી રહ્યા છે.

જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન કાર્યક્રમ

આ પણ વાંચો: રાજ્યમાં શનિવારથી 18 વર્ષથી ઉપરના યુવાનોને અપાશે વેક્સિન

બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં રસી આપવામાં આવશે

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અહીં આરોગ્ય કેન્દ્ર પર જરૂરી સુચનો પણ કર્યા હતા. કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યક્તિને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા

જામનગરના યુવાઓમાં વેક્સિન લેવા માટે જોવા મળી રહ્યો છે ઉત્સાહ

જામનગરમાં સવારે 9 વાગ્યાથી જ વિવિધ આરોગ્ય કેન્દ્ર પર યુવક અને યુવતીઓ વચ્ચે રસી લેવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને રસી વ્યક્તિને કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે લોકોમાં પણ જાગૃતિ આવી છે અને વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.