જામનગરઃ શહેરમાં RSS અને હિન્દુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા રવિવારે પર્યાવરણ-વન એવં જીવ સૃષ્ટી સંરક્ષણ માટે 'પ્રકૃતિ વંદના' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાંસદ પૂનમ માડમે પોતાના નિવાસ સ્થાને વૃક્ષ પૂજન, આરતી, પરિક્રમા અને મંત્રોચ્ચાર કરી પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે તમામ લોકોને પ્રકૃતિની સુરક્ષા માટે આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે ભવ્ય પરંપરા સમાન સંસ્કૃતિ જતનની પરંપરા જાળવવા પણ અનુરોધ કર્યો હતો.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-pakruti-vadana-7202728-mansukh_30082020123705_3008f_1598771225_133.jpg)
સાંસદ પૂનમ માડમના નિવાસ સ્થાને યોજાયેલા આ પ્રકૃતિ વદના કાર્યક્રમમાં જામનગર મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમુર અને અન્ય બીજેપીના કાર્યકરો હાજર રહ્યા હતા.