ETV Bharat / city

બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો

author img

By

Published : Jan 7, 2021, 6:04 PM IST

દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસે બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. નિશા ગોંડલીયા ભુમાફિયા જયેશ પટેલના પ્રકરણમાં ચર્ચામાં આવી હતી અને બીટ કોઈન મામલે પણ ચર્ચામાં આવી હતી.

બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો
બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો
  • બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ધડાકો
  • નિશા ગોંડલીયા છેલ્લા ઘણા સમયથી છે ચર્ચામાં
  • ઈટીવી ભારતે નિશા ગોંડલીયાનો સંપર્ક સાધતા ફોન બંધ

જામનગર: દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસે બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. નિશા ગોંડલીયા ભુમાફિયા જયેશ પટેલના પ્રકરણમાં ચર્ચામાં આવી હતી અને બીટ કોઈન મામલે પણ ચર્ચામાં આવી હતી.


નિશા ગોંડલીયા પર ફાયરિંગની ઘટના ક્રમશ:


જામનગરની નિશા ગોંડલીયા પર થોડા સમય પહેલા કારમાં આવેલા ત્રણ શખ્સોએ નિશા ગોંડલીયા પર ફાયરિંગ કર્યું હતું. જો કે નિશા ગોંડલીયાને ફાયરિંગમાં માથાના ભાગે ઇજા પહોંચી હતી અને બાદમાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવી હતી. જો કે જામનગર SP અને દેવભુમી દ્વારકા SP એ સમગ્ર મામલે તપાસ શરૂકરી હતી. સમગ્ર કેસની તપાસ LCBને સોંપવામાં આવી હતી.

નિશા ગોંડલીયાએ યશપાલસિંહ જાડેજા અને તેના સાગરીતો પર લગાવ્યો હતો આરોપ

જામનગરમાં પોતાના ભાઈના લગ્નમાં કરોડો રૂપિયા ઉડાવનાર યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજા પર ફાયરિંગનો નિશા ગોંડલિયાએ આરોપ લગાવ્યો હતો. જોકે સમગ્ર કેસની તપાસ જામનગર SOGને સોંપવામાં આવી છે.

બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો
ઈટીવી ભારતે નિશા ગોંડલીયાનો સંપર્ક સાધતા ફોન બંધ

ઈટીવી ભારતે નિશા ગોંડલીયા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિશા ગોંડલીયાનો ફોન બંધ આવતા સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે.


  • બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ધડાકો
  • નિશા ગોંડલીયા છેલ્લા ઘણા સમયથી છે ચર્ચામાં
  • ઈટીવી ભારતે નિશા ગોંડલીયાનો સંપર્ક સાધતા ફોન બંધ

જામનગર: દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસે બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર ફાયરિંગ થયાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. નિશા ગોંડલીયા ભુમાફિયા જયેશ પટેલના પ્રકરણમાં ચર્ચામાં આવી હતી અને બીટ કોઈન મામલે પણ ચર્ચામાં આવી હતી.


નિશા ગોંડલીયા પર ફાયરિંગની ઘટના ક્રમશ:


જામનગરની નિશા ગોંડલીયા પર થોડા સમય પહેલા કારમાં આવેલા ત્રણ શખ્સોએ નિશા ગોંડલીયા પર ફાયરિંગ કર્યું હતું. જો કે નિશા ગોંડલીયાને ફાયરિંગમાં માથાના ભાગે ઇજા પહોંચી હતી અને બાદમાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવી હતી. જો કે જામનગર SP અને દેવભુમી દ્વારકા SP એ સમગ્ર મામલે તપાસ શરૂકરી હતી. સમગ્ર કેસની તપાસ LCBને સોંપવામાં આવી હતી.

નિશા ગોંડલીયાએ યશપાલસિંહ જાડેજા અને તેના સાગરીતો પર લગાવ્યો હતો આરોપ

જામનગરમાં પોતાના ભાઈના લગ્નમાં કરોડો રૂપિયા ઉડાવનાર યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજા પર ફાયરિંગનો નિશા ગોંડલિયાએ આરોપ લગાવ્યો હતો. જોકે સમગ્ર કેસની તપાસ જામનગર SOGને સોંપવામાં આવી છે.

બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો
ઈટીવી ભારતે નિશા ગોંડલીયાનો સંપર્ક સાધતા ફોન બંધ

ઈટીવી ભારતે નિશા ગોંડલીયા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિશા ગોંડલીયાનો ફોન બંધ આવતા સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.