ગાંધીનગર: ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ(Vadnagar International Conference) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન મીનાક્ષી લેખી (Meenakashi Lekhi) પણ હાજર હતા. આ દરમિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીનાક્ષી લેખી પત્રકારો સાથેની વાતચીતમાં જ્ઞાનવાપી (Gyanvapi Controversy in UP) બાબતે ટીપ્પણી કરી હતી.
આ પણ વાંચો: એવી શું શિવલિંગ અંગે ટિપ્પણી કરી હતી જેના કારણે દાનિશ કુરેશીની થઈ ધરપકડ ?
1992માં આ કામ બંધ થયું: ગાંધીનગરમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાંથી તેમણે જણાવ્યું હતું કે આરકોલોજીકલ સર્વેને બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે હું પોતે પણ દિલ્હીથી છું અને હું જાણું છું કે દિલ્હીના જે સંસ્થાપક છે આનંદપાલ છે, જ્યારે 1992માં આ કામ બંધ કરવામાં આવ્યું હતું જેથી ઇતિહાસ સાથે ચેડા થયા છે. ઇતિહાસ સાથે છેડછાડ થઈ છે. જ્યારે જ્ઞાનવાપી મંદિર હોય કે મસ્જિદ હોય (controversy of the Gyanvapi)તેના ઇતિહાસ ક્યાં છે.
આ પણ વાંચો: flood in Assam: આસામમાં પૂરથી ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે
ઇતિહાસના પાના ફેરવીને જોવો: તે ઇતિહાસના પન્નાઓને ફેરવીને જોવું પડશે. લોકોને ખબર પડવી જોઈએ. જ્યારે આ બાબતે કોઈપણ પ્રકારના પડદા ઉપર ભાષણ કે ટીપ્પણી કરવી નહીં કારણ કે આ મામલો કોર્ટ-કચેરીમાં સુનાવણી હેઠળ છે અને કોર્ટ કચેરીનો જે નિર્ણય આવશે તે અંતિમ નિર્ણય ગણવામાં આવશે.