ETV Bharat / city

રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ-સંગ્રહ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ: નીતિન પટેલ

author img

By

Published : Sep 4, 2020, 3:28 PM IST

રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પણ રાજ્યમાં પ્રતિબંધ છે, ત્યારે રાજ્ય સરકારે વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવ્યો છે. આ પ્રતિબંધથી નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી પ્રતિબંધ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ETV BHARAT
રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ-સંગ્રહ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ

ગાંધીનગર: રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પણ રાજ્યમાં પ્રતિબંધ છે, ત્યારે રાજ્ય સરકારે વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવ્યો છે. આ પ્રતિબંધથી નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી પ્રતિબંધ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમો તથા રેગ્યુલેશન 2011 હેઠળ પ્રતિબંધ મૂકાયો છે. ગુટખામાં તમાકુની હાજરી હોવાથી માનવ આરોગ્યને નુકસાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુટખા, પાન-મસાલા કે જેમાં તમાકુ અને નિકોટિનની હાજરી હોય તેના વેચાણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ સખત રીતે કરાવ્યો છે. આ બાબતે ગત 3 વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10,000 પેઢીઓની તપાસ કરીને આશરે 11 લાખ જેટલો દંડ વસુલ કર્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પણ રાજ્યમાં પ્રતિબંધ છે, ત્યારે રાજ્ય સરકારે વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવ્યો છે. આ પ્રતિબંધથી નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી પ્રતિબંધ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમો તથા રેગ્યુલેશન 2011 હેઠળ પ્રતિબંધ મૂકાયો છે. ગુટખામાં તમાકુની હાજરી હોવાથી માનવ આરોગ્યને નુકસાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુટખા, પાન-મસાલા કે જેમાં તમાકુ અને નિકોટિનની હાજરી હોય તેના વેચાણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ સખત રીતે કરાવ્યો છે. આ બાબતે ગત 3 વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10,000 પેઢીઓની તપાસ કરીને આશરે 11 લાખ જેટલો દંડ વસુલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.