ETV Bharat / city

વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ, ઘીની નદીઓ પાર કરીને હજારો ભક્તો પહોંચ્યા રૂપાલ ગામ

author img

By

Published : Oct 5, 2022, 8:39 AM IST

Updated : Oct 5, 2022, 9:09 AM IST

ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના નવમા દિવસે વરદાયિની માતાજીની (vardayini mata rupal) પલ્લી નીકળી હતી. આ પહેલા ગ્રામજનોએ 27 ચોકમાં તમામ પ્રકારની તૈયારી કરી હતી. તો રૂપાલની પલ્લીનું શું મહત્વ (rupal palli history) છે. શા માટે આ દિવસે ઘીની નદીઓ (River of Ghee flowing during rupal palli) વહે છે આવો જાણીએ.

વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ, ઘીની નદીઓ પાર કરીને હજારો ભક્તો પહોંચ્યા રૂપાલ ગામ
વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ, ઘીની નદીઓ પાર કરીને હજારો ભક્તો પહોંચ્યા રૂપાલ ગામ

ગાંધીનગર છેલ્લા અનેક દશકો અને સતકોથી ગાંધીનગર શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની (vardayini mata rupal) પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક (River of Ghee flowing during rupal palli) કરવામાં આવે છે.

ગ્રામજનોની વિશેષ તૈયારી રૂપાલ ગામમાં પલ્લી શરૂ થાય તે પહેલાં જ ગ્રામજનોએ 27 ચોકમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી અને પલ્લી (rupal palli in Gandhinagar) નીકળે તે દરમિયાન તાત્કાલિક ધોરણે પોતાની શ્રદ્ધા પૂર્ણ કરી શકે તેને ધ્યાનમાં લઈને તમામ ગલીઓમાં ઘીના મોટા કુંડ તૈયાર (River of Ghee flowing during rupal palli) કરવામાં આવ્યા હતા.

હજારો કિલોના ઘીનો ઉપયોગ થાય છે

રૂપાલ ગામમાં પલ્લીનું મહત્વ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં (rupal palli history) આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. આ પહેલા જ નાના ભૂલકાંઓને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોન બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતાપિતાને પરત આપે છે. રૂપાલ ગામમાં કોઈ પણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારબાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. આ ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તે જ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે. જ્યારે આસો માસની નવરાત્રિમાં ગ્રામજનો નકોરડો ઉપવાસ કરે છે અને વરદાયિની માતાજીની (vardayini mata rupal) પલ્લીના દર્શન કર્યા બાદ જ તે ઉપવાસ છોડે છે અને આ ઉપવાસ સંપૂર્ણ પ્રવાહી ઉપર જ રાખવામાં આવે છે.

શા માટે દીકરાને પલ્લીના દર્શન કરાવવા જરૂરી પલ્લીના દર્શન (rupal palli history) સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઈ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. તો આપને જણાવી દઈએ કે, રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) કોઈ પણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે, ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામાં આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.

આખી રાતમાં ગામના રસ્તાઓ ઘી ઘી થશે વરદાયિની માતાની પલ્લીની (vardayini mata rupal) વાત કરવામાં આવે તો રાત્રે 12:00 વાગે પલ્લીની શરૂઆત કરવામાં આવી હતી અને માતાજી આપવા માટે નીકળ્યા હતા આખી રાતમાં હજારો કિલો ને ઘી નો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવશે જ્યારે વહેલી સવાર થતા જ રૂપાલ ગામના (Rupal Village Gandhinagar) તમામ રસ્તાઓમાં જેમ ઘી ની નદીઓ (River of Ghee flowing during rupal palli) વેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળશે.

હજારો કિલોના ઘીનો ઉપયોગ થાય છે આમ, એક જ રાતમાં હજારો કિલો ઘીનો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવે છે જ્યારે આગામી ત્રણ દિવસ સુધી લોકો ગાંધીનગર અમદાવાદ અને આસપાસના જિલ્લાના ભક્તો પણ પલ્લીના દર્શન કરવા માટે રૂપાલ ગામ પહોંચે છે.

વરદાયિની માતાજી: નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલા શ્રી વરદાયિની માતાજીના (vardayini mata rupal) મંદિરનું નિર્માણ અનેક વખત થયું હશે, પરંતુ માતાજી અહિ સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે.આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે. રૂપાલના પ્રખર વિદ્વાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ મા શ્રીવરદાયિની મહાત્યમ નામના ગ્રંથની (vardayini mata rupal) રચના કરી હતી, જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન: મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મૂક્યો છે.

ભયાનક રાક્ષસનો હતો વસવાટ સૃષ્ટિના પ્રારંભે અહી દૂર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલા સૃષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓ શ્રી વરદાયિની માતાજીના પુત્રરૂપે શરણે ગયા. શ્રી માતાજીએ તમને પુત્રરૂપે સ્તનપાન કરાવી સાંત્વના આપી અજેય દૈત્ય દૂર્મદ સાથે દારૂણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયિની માતાજીએ (vardayini mata rupal) અહીં જ નિવાસ કર્યો.

ભગવાન શ્રીરામનો પણ ઉલ્લેખ ત્રેતા યુગમાં (treta yuga) ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી સૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતા સહિત શ્રી વરદાયિની માતાજીના (vardayini mata rupal) દર્શન કરી પૂજાઅર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયિની માતાજીએ (vardayini mata rupal) પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.

રાજા સિદ્ધરાજ જયસીંહના યુદ્ધનો ઉલ્લેખ કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની (siddhraj jaysinh ) માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યું હતું. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર (Rupal Village Gandhinagar) પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞથી ચિંતિત અવસ્થામાં નિંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યું, સવારે ઊઠી ગયાના છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે, આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું મળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી માતાજીની પુજા નવેસરથી મંદિર બનાવ્યું હતું. માતાજીની મૂર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજ જયસિંહને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓળખાયા હતાં.

હજારોની સંખ્યામાં લોકો આવે છે રૂપાલ ગામ રૂપાલ ગામની મંદિરની પલ્લીની વાત (rupal palli history) કરીએ તો આસો નોમના રાત્રે પલ્લીનો પ્રારંભ કરવામાં આવે છે, જેથી ગામમાં રસ્તાઓ પર ઘી ની નદીઓ (River of Ghee flowing during rupal palli) પણ વહે છે, સાથે જ દશેરાના દિવસે પણ લોકો અહીંયા પલ્લીના દર્શન કરવા આવે છે. આ ઉપરાંત રાત્રે પણ અહીંયા ગાંધીનગર, અમદાવાદ અને આસપાસ ના જિલ્લાઓ ઉપરાંત દેશ વિદેશ થી લોકો પલ્લીના દર્શન કરવા માટે આવે આવ્યા હતા.

ગાંધીનગર છેલ્લા અનેક દશકો અને સતકોથી ગાંધીનગર શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની (vardayini mata rupal) પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક (River of Ghee flowing during rupal palli) કરવામાં આવે છે.

ગ્રામજનોની વિશેષ તૈયારી રૂપાલ ગામમાં પલ્લી શરૂ થાય તે પહેલાં જ ગ્રામજનોએ 27 ચોકમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી અને પલ્લી (rupal palli in Gandhinagar) નીકળે તે દરમિયાન તાત્કાલિક ધોરણે પોતાની શ્રદ્ધા પૂર્ણ કરી શકે તેને ધ્યાનમાં લઈને તમામ ગલીઓમાં ઘીના મોટા કુંડ તૈયાર (River of Ghee flowing during rupal palli) કરવામાં આવ્યા હતા.

હજારો કિલોના ઘીનો ઉપયોગ થાય છે

રૂપાલ ગામમાં પલ્લીનું મહત્વ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં (rupal palli history) આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. આ પહેલા જ નાના ભૂલકાંઓને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોન બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતાપિતાને પરત આપે છે. રૂપાલ ગામમાં કોઈ પણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારબાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. આ ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તે જ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે. જ્યારે આસો માસની નવરાત્રિમાં ગ્રામજનો નકોરડો ઉપવાસ કરે છે અને વરદાયિની માતાજીની (vardayini mata rupal) પલ્લીના દર્શન કર્યા બાદ જ તે ઉપવાસ છોડે છે અને આ ઉપવાસ સંપૂર્ણ પ્રવાહી ઉપર જ રાખવામાં આવે છે.

શા માટે દીકરાને પલ્લીના દર્શન કરાવવા જરૂરી પલ્લીના દર્શન (rupal palli history) સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઈ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. તો આપને જણાવી દઈએ કે, રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) કોઈ પણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે, ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં (Rupal Village Gandhinagar) જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામાં આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.

આખી રાતમાં ગામના રસ્તાઓ ઘી ઘી થશે વરદાયિની માતાની પલ્લીની (vardayini mata rupal) વાત કરવામાં આવે તો રાત્રે 12:00 વાગે પલ્લીની શરૂઆત કરવામાં આવી હતી અને માતાજી આપવા માટે નીકળ્યા હતા આખી રાતમાં હજારો કિલો ને ઘી નો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવશે જ્યારે વહેલી સવાર થતા જ રૂપાલ ગામના (Rupal Village Gandhinagar) તમામ રસ્તાઓમાં જેમ ઘી ની નદીઓ (River of Ghee flowing during rupal palli) વેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળશે.

હજારો કિલોના ઘીનો ઉપયોગ થાય છે આમ, એક જ રાતમાં હજારો કિલો ઘીનો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવે છે જ્યારે આગામી ત્રણ દિવસ સુધી લોકો ગાંધીનગર અમદાવાદ અને આસપાસના જિલ્લાના ભક્તો પણ પલ્લીના દર્શન કરવા માટે રૂપાલ ગામ પહોંચે છે.

વરદાયિની માતાજી: નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલા શ્રી વરદાયિની માતાજીના (vardayini mata rupal) મંદિરનું નિર્માણ અનેક વખત થયું હશે, પરંતુ માતાજી અહિ સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે.આદ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે. રૂપાલના પ્રખર વિદ્વાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ મા શ્રીવરદાયિની મહાત્યમ નામના ગ્રંથની (vardayini mata rupal) રચના કરી હતી, જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન: મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મૂક્યો છે.

ભયાનક રાક્ષસનો હતો વસવાટ સૃષ્ટિના પ્રારંભે અહી દૂર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલા સૃષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓ શ્રી વરદાયિની માતાજીના પુત્રરૂપે શરણે ગયા. શ્રી માતાજીએ તમને પુત્રરૂપે સ્તનપાન કરાવી સાંત્વના આપી અજેય દૈત્ય દૂર્મદ સાથે દારૂણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયિની માતાજીએ (vardayini mata rupal) અહીં જ નિવાસ કર્યો.

ભગવાન શ્રીરામનો પણ ઉલ્લેખ ત્રેતા યુગમાં (treta yuga) ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી સૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતા સહિત શ્રી વરદાયિની માતાજીના (vardayini mata rupal) દર્શન કરી પૂજાઅર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયિની માતાજીએ (vardayini mata rupal) પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.

રાજા સિદ્ધરાજ જયસીંહના યુદ્ધનો ઉલ્લેખ કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની (siddhraj jaysinh ) માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યું હતું. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર (Rupal Village Gandhinagar) પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞથી ચિંતિત અવસ્થામાં નિંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યું, સવારે ઊઠી ગયાના છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે, આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું મળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી માતાજીની પુજા નવેસરથી મંદિર બનાવ્યું હતું. માતાજીની મૂર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજ જયસિંહને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓળખાયા હતાં.

હજારોની સંખ્યામાં લોકો આવે છે રૂપાલ ગામ રૂપાલ ગામની મંદિરની પલ્લીની વાત (rupal palli history) કરીએ તો આસો નોમના રાત્રે પલ્લીનો પ્રારંભ કરવામાં આવે છે, જેથી ગામમાં રસ્તાઓ પર ઘી ની નદીઓ (River of Ghee flowing during rupal palli) પણ વહે છે, સાથે જ દશેરાના દિવસે પણ લોકો અહીંયા પલ્લીના દર્શન કરવા આવે છે. આ ઉપરાંત રાત્રે પણ અહીંયા ગાંધીનગર, અમદાવાદ અને આસપાસ ના જિલ્લાઓ ઉપરાંત દેશ વિદેશ થી લોકો પલ્લીના દર્શન કરવા માટે આવે આવ્યા હતા.

Last Updated : Oct 5, 2022, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.