ETV Bharat / city

પાક સર્વે કરતી કંપનીઓ સામે પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીના સનસનીખેજ આરોપ

author img

By

Published : Nov 25, 2019, 3:20 PM IST

ગાંધીનગરઃ ખેડૂતોને વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે 3795 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ખાનગી કંપનીઓના એજન્ટો કોરા ફોર્મ ઉપર ખેડૂતો પાસે સહી કરાવી લેતા હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ કરી છે.

Private companies is taking sign blank form from farmers in crop survey

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં તમામ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીનો ઉભો પાક પલળી ગયો હતો. ખેડૂતોને આ નુકસાન સામે રાજ્ય સરકારે 3795 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ સહાય પેકેજ પાક વીમાથી અલગ છે. તેવી જાહેરાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ કરી હતી. ખાનગી કંપનીઓના એજન્ટો કોરા ફોર્મ ઉપર ખેડૂતો પાસે સહી કરાવી લેતા હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ કરી છે.

ખેડૂતો પાસે કોરા ફોર્મ પર સહી કરાવા બાબતે પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલીના અનેક ગામડાઓમાં ખાનગી કંપનીઓના સર્વેયર દ્વારા ખેડૂતો પાસેથી કોરા ફોર્મ પર સહી કરવામાં આવી છે. જે બાબતે અનેક ખેડૂતો દ્વારા મને ફોન પર જાણકારી આપવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને સૂચના આપી હતી કે, આવા કોઈ પણ કોરા ફોર્મ પર સહી કરવી નહીં, જ્યારે ખાનગી કંપનીઓ ઓછું નુકસાન બતાવીને ઓછું વળતર આપે તેવી શક્યતાઓ છે. જેથી ખાનગી કંપનીઓ પોતાનો નફો લેવા માટે ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ જે તે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પરિસ્થિતિની જાણ તંત્રને કરવી જોઇએ. જે ગામ અથવા તો જિલ્લામાં કંપની દ્વારા સર્વે કરવામાં આવતો નથી, તે અંગે પણ જિલ્લા સમિતિને જાણ કરવી જોઈએ. જેથી તમામ ગામોમાં કંપનીઓ સર્વે કરી શકે.

ખાનગી કંપનીઓ પાક સર્વેમાં ખેડૂતો પાસેથી કોરા ફોર્મમાં સહી કરાવે છે: દિલીપ સંઘાણી

રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે, તેને પણ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ વધાવ્યું હતું. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર સી ફળદુને અભિનંદન પાઠવ્યા હતા

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં તમામ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીનો ઉભો પાક પલળી ગયો હતો. ખેડૂતોને આ નુકસાન સામે રાજ્ય સરકારે 3795 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ સહાય પેકેજ પાક વીમાથી અલગ છે. તેવી જાહેરાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ કરી હતી. ખાનગી કંપનીઓના એજન્ટો કોરા ફોર્મ ઉપર ખેડૂતો પાસે સહી કરાવી લેતા હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ કરી છે.

ખેડૂતો પાસે કોરા ફોર્મ પર સહી કરાવા બાબતે પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલીના અનેક ગામડાઓમાં ખાનગી કંપનીઓના સર્વેયર દ્વારા ખેડૂતો પાસેથી કોરા ફોર્મ પર સહી કરવામાં આવી છે. જે બાબતે અનેક ખેડૂતો દ્વારા મને ફોન પર જાણકારી આપવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને સૂચના આપી હતી કે, આવા કોઈ પણ કોરા ફોર્મ પર સહી કરવી નહીં, જ્યારે ખાનગી કંપનીઓ ઓછું નુકસાન બતાવીને ઓછું વળતર આપે તેવી શક્યતાઓ છે. જેથી ખાનગી કંપનીઓ પોતાનો નફો લેવા માટે ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ જે તે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પરિસ્થિતિની જાણ તંત્રને કરવી જોઇએ. જે ગામ અથવા તો જિલ્લામાં કંપની દ્વારા સર્વે કરવામાં આવતો નથી, તે અંગે પણ જિલ્લા સમિતિને જાણ કરવી જોઈએ. જેથી તમામ ગામોમાં કંપનીઓ સર્વે કરી શકે.

ખાનગી કંપનીઓ પાક સર્વેમાં ખેડૂતો પાસેથી કોરા ફોર્મમાં સહી કરાવે છે: દિલીપ સંઘાણી

રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે, તેને પણ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ વધાવ્યું હતું. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર સી ફળદુને અભિનંદન પાઠવ્યા હતા

Intro:approved by panchal sir કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં તમામ ખેડૂતોને ભારે નુકસાન થયું છે મગફળીનો ઉભો પાક પણ પડી ગયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 3795 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ સહાય પેકેજ પાક વીમા ને આવરી લેતું નથી તેવી જાહેરાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુ એ કરી હતી જ્યારે પાક વીમા ને લઈને ખાનગી કંપનીઓને પણ ટચ કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે પાક કંપનીઓના ખાનગી એજન્ટો કોરા ફોર્મ ઉપર ખેડૂતો પાસે સહી કરાવી એ લેતા હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ કરી છે...


Body:ખેડૂતો પાસે કોરા ફોર્મ પર સહી કરવા બાબતે પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમરેલીના અનેક ગામડાઓમાં ખાનગી કંપનીઓના સર્વેયર દ્વારા ખેડૂતો પાસેથી કોરા ફોર્મ પર સહી કરવામાં આવી છે જે બાબતે અનેક ખેડૂતો દ્વારા મને ફોન ઉપર જાણકારી આપવામાં આવી હતી જેને લઇને ખેડૂતોને સૂચના આપી હતી કે આવા કોઈ પણ કોરા ફોર્મ પર સહી કરવી નહીં જ્યારે ખાનગી કંપનીઓ ઓછું નુકસાન બતાવીને ઓછું વળતર આપે તેવી પણ શક્યતાઓ છે જેથી ખાનગી કંપનીઓ પોતાનો નફો લેવા માટે ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે આ બાબતે ખેડૂતોએ જે તે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તમામ પરિસ્થિતિની જાણ તંત્રને કરવી જોઇએ જ્યારે જે ગામ અથવા તો જિલ્લામાં કંપની દ્વારા સર્વે કરવામાં આવતો નથી તે બાબતની પણ જિલ્લા સમિતિ ને જાણ કરવી જોઈએ જેથી તમામ કંપનીઓ સર્વે કરી શકે..


Conclusion:જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને પણ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ વધાવ્યું હતું અને રાજ્ય સરકારનો જે નિર્ણય છે તે બદલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુ ને અભિનંદન પાઠવ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.