ન્યુઝ ડેસ્ક : રાજકોટ શહેરમાં નવરાત્રિની ઉજવણી અંગે કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તે પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. જો કે વિરોધ થતા રાજકોટ શહેર પોલીસે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. આ જાહેરાત રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી. જે મુજબ હવે ગરબા આયોજકો અને ખેલાડીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટ શહેર પોલીસે અગાઉ રાત્રે 10 વાગ્યા સુધી ગરબા માટે લાઉડ સ્પીકર રાખવાનો નિર્ણય લીધો હતો.
પોલીસને સંપૂર્ણ માહિતી આપવી પડશે આ ઉપરાંત નવરાત્રીના આયોજકોએ રવિવાર સુધી ગરબા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ અંગત સુરક્ષા અને સીસીટીવી સહિતની સંપૂર્ણ માહિતી પોલીસને આપવાની રહેશે. જો રવિવાર સુધીમાં આ વિગતો પોલીસને આપવામાં નહીં આવે તો પોલીસ ગરબા આયોજકને આપેલી પરવાનગી રદ કરવાની પણ કાર્યવાહી કરશે.