ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ, એક પણ મૃત્યુ નહીં

author img

By

Published : Aug 22, 2021, 8:40 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20થી પણ ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે રવિવારે 17 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. રિકવરી રેટ પણ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

  • રક્ષાબંધનના દિવસે બંધ રહ્યું રસીકરણ
  • 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
  • રિકવરી રેટ વધીને 98.76 ટકા સુધી પહોંચ્યો

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 22 ઓગસ્ટના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં જ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો આ સ્થિતિ રહી તો બિલકુલ ઘટીને સિંગલ ડીજીટમાં આવી શકે તેમ છે. જોકે, રસીકરણની કામગીરી પણ દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ રક્ષાબંધનના દિવસે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું.

કોર્પોરેશન વિસ્તારમાં પણ સિંગલ ડિજિટમાં કેસો

રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 3, સુરતમાં 1 અને વડોદરામાં 5, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો. આણંદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્ય, અમરેલી વિસ્તારોમાં કોરોનાના શૂન્ય પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે ગ્રામ્ય લેવલે જેટલા કેસો પહેલા આવતા હતા તે અત્યારે શૂન્ય પર આવી રહ્યા છે.

કોરોનાની વર્તમાન સ્થિતિ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 182 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 178 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 04 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,079 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,5,041 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

  • રક્ષાબંધનના દિવસે બંધ રહ્યું રસીકરણ
  • 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
  • રિકવરી રેટ વધીને 98.76 ટકા સુધી પહોંચ્યો

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 22 ઓગસ્ટના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં જ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો આ સ્થિતિ રહી તો બિલકુલ ઘટીને સિંગલ ડીજીટમાં આવી શકે તેમ છે. જોકે, રસીકરણની કામગીરી પણ દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ રક્ષાબંધનના દિવસે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું.

કોર્પોરેશન વિસ્તારમાં પણ સિંગલ ડિજિટમાં કેસો

રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 3, સુરતમાં 1 અને વડોદરામાં 5, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો. આણંદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્ય, અમરેલી વિસ્તારોમાં કોરોનાના શૂન્ય પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે ગ્રામ્ય લેવલે જેટલા કેસો પહેલા આવતા હતા તે અત્યારે શૂન્ય પર આવી રહ્યા છે.

કોરોનાની વર્તમાન સ્થિતિ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 182 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 178 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 04 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,079 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,5,041 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.