ETV Bharat / city

Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 138 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ

author img

By

Published : Jun 23, 2021, 9:21 PM IST

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે ફરીવખત રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 138 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
  • છેલ્લા 24 કલાકમાં 138 પોઝિટિવ કેસ નોંધાયા
  • 487 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 138 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે બુધવારે વધુ 487 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.

આ પણ વાંચો: મંગળવારે છેલ્લા 24 કલાકમાં 135 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 57 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 8, સુરતમાં 20 અને રાજકોટમાં 8 કેસ નોંધાયા છે.

આજે 4,48,153 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે બુધવારેવારે 4,48,153 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,30,09,562 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 2,96,255 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે, 18 વર્ષથી વધુના 13,896 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 4,807 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 86 વેન્ટિલેટર પર અને 4,726 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,040 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.20 ટકા સુધી પહોંચ્યો છે.

  • છેલ્લા 24 કલાકમાં 138 પોઝિટિવ કેસ નોંધાયા
  • 487 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 138 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે બુધવારે વધુ 487 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.

આ પણ વાંચો: મંગળવારે છેલ્લા 24 કલાકમાં 135 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 57 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 8, સુરતમાં 20 અને રાજકોટમાં 8 કેસ નોંધાયા છે.

આજે 4,48,153 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે બુધવારેવારે 4,48,153 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,30,09,562 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 2,96,255 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે, 18 વર્ષથી વધુના 13,896 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 4,807 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 86 વેન્ટિલેટર પર અને 4,726 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,040 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.20 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.