ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ અને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતની પરિસ્થિતિ વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમાર રાજ્યના સિવિલ સપ્લાય, દૂધ સપ્લાય, શ્રમિક ટ્રેન અને સીએમ વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણયો બાબતે જાણકારી આપતાં હતાં. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા રાજ્યના લોકડાઉન દરમિયાન કાયદા અને પરિસ્થિતિ અંગેની જાણકારી સાથે લોકડાઉનના કડક અમલીકરણના નવા નિયમોની માહિતી આપતાં હતાં.
સરકારે રણનીતિ બદલી, અધિકારીઓનું બ્રિફિંગ રદ - સીએમઓ
ગુજરાતમાં કોરોનાના કહેરની શરુઆત થઈ અને સમગ્ર દેશમાં લોકડાઉન થયું ત્યારે ગુજરાત સરકાર દ્વારા દિવસમાં 4 વખત પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતીઓ આપવામાં આવતી હતી પરંતુ હવે છેલ્લા 4 દિવસથી સરકારે તમામ પત્રકાર પરિષદો રદ કરીને ફક્ત કોરોનાની આંકડાકીય માહિતી આપવામાં આવે છે. જ્યારે કોરોના વિષયની આરોગ્ય વિભાગની પ્રેસનોટ પણ બદલી નાખવામાં આવી છે. આમ બ્રિફિંગ બંધ થવા પાછળ સરકારની કોઈ સ્ટ્રેટજી હોય તેવું લાગી રહ્યું છે.
સરકારે રણનીતિ બદલી, અધિકારીઓનું બ્રિફિંગ રદ
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ અને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતની પરિસ્થિતિ વિશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમાર રાજ્યના સિવિલ સપ્લાય, દૂધ સપ્લાય, શ્રમિક ટ્રેન અને સીએમ વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણયો બાબતે જાણકારી આપતાં હતાં. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા રાજ્યના લોકડાઉન દરમિયાન કાયદા અને પરિસ્થિતિ અંગેની જાણકારી સાથે લોકડાઉનના કડક અમલીકરણના નવા નિયમોની માહિતી આપતાં હતાં.