ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 21,554 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 370 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 15,305 કેસ થયાં છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 1092 મોત થયાં છે.
રાજ્યમાં કોરોના અપડેટના આજના આંકડા સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 343, સૂરત 73, વડોદરામાં 35, ભાવનગર 8, ખેડા 6, રાજકોટ 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર 4-4, ગાંધીનગર, કચ્છ, જુનાગઢ, જામનગર, ભરૂચ, પોરબંદર, મોરબી 2-2, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુર 1-1 કેસ અને અન્ય રાજ્યમા 3 કેસ સામે આવ્યાં છે. જ્યારે 69 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1347 લોકોના મોત થયાં છે.