ગાંધીનગર : ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી વર્ષ Gujarat Thakor and Koli Ekta Missionઆવે ત્યારથી જ રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે. હજી વિધાનસભા ચૂંટણીને છ મહિનાથી વધુ સમયની વાર છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન(Gujarat Thakor and Koli Ekta Mission) દ્વારા રજૂઆત કરવામાં (Plea to CM Bhupendra Patel )આવી હતી. જેમાં ઠાકોર અને કોળી સમાજને ગુજરાત રાજ્યમાં વસ્તી પ્રમાણે 20 ટકા જેટલી અનામત મળે તેવી માગ (Demand For Reservation Quota)કરવામાં આવી હતી.
અનામતમાં વધુ લાભ આપવામાં આવે - ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના પ્રદેશ કન્વીનર અજમલજી ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર અને કોળી સમાજને અનામતથી થતા અન્યાય અન્વયે 27 ટકામાંથી 20 ટકા અનામત અથવા વસતીના ધોરણે અલગ અનામત આપવાની માંગ (Demand For Reservation Quota)કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ઠાકોર અને કોળી સમાજ ઓબીસી અનામતમાં આવતો હોવા છતાં અનામતના લાભથી વંચિત રહે છે તો આ બાબત પણ રાજ્ય સરકાર દ્વારા જરૂરી વિચારણા કરવામાં આવે.
નિગમમાં કરોડોની માંગ અને શાળાની સુવિધાઓ - અજમલજી ઠાકોરે વધુમાં કરતાં જણાવ્યું હતું કે ઠાકોર અને કોળી વિકાસ નિગમને 1500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે. આ ઉપરાંત આ બંને સમાજને એસટી એસટી સમાજની આદર્શ નિવાસી સ્કૂલની જેમ દરેક જિલ્લામાં નિશુલ્ક હોસ્ટેલ સાથેની સ્કૂલો પણ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે. આ ઉપરાંત જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવે અને તે મુજબ અનામત લાભ (Demand For Reservation Quota)આપવાની માંગ પણ અજમલજી ઠાકોરે કરી હતી.
આ પણ વાંચોઃ MBBS Management Quota: મેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટામાં અનામત ન મળી શકે - હાઈકોર્ટ
15 દિવસનો સમયગાળો - અજમલજી ઠાકોરે વધુમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આજે આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો આવનારા 15 દિવસમાં કોઇપણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવે તો 15 દિવસ બાદ એટલે કે 25મી 2022 સુધીમાં નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી (Satyagraha Chhavni at Gandhinagar ) ખાતે કોળી સમાજ અને ઠાકોર સમાજની સંયુક્ત આંદોલન કરવામાં આવશે.