ETV Bharat / city

17 માર્ચથી રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ, ST ડેપો રહેશે બંધ

author img

By

Published : Mar 16, 2021, 4:20 PM IST

Updated : Mar 16, 2021, 5:09 PM IST

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 17 માર્ચથી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવવામાં આવ્યો છે, આ શહેરમાં 10 કલાક બાદ ST બસ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ દરમિયાન 4 મહાનગરના સિટી બસ ડેપો બંધ રાખવામાં આવશે, જ્યારે કરફ્યૂ દરમિયાન તમામ ST બસ બાય પાસ દોડાવવામાં આવશે

કરફ્યૂ
કરફ્યૂ
  • 17 માર્ચથી રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ
  • અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10થી કરફ્યૂનો અમલ થશે
  • એક પણ ST બસ હવે શહેરમાં નહીં પ્રવેશી શકે

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની બાદ કોરોનાનો કહેર સતત વધી રહ્યો હતો, ત્યારે દૈનિક 800 જેટલા પોઝિટિવ કેસ આવતા રાજ્ય સરકારના પેટનું પાણી હલતું છે અને હવે કરફ્યૂના સમયમાં વધારો કર્યો છે. આ પહેલા રાત્રે 12 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ 15 માર્ચના રોજ કરફયૂની મુદ્દત પૂરી થતાં હવે મંગળવારના રોજ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, હવે રાત્રે 10 કલાકથી સવારના 6 સુધી કરફ્યૂ અમલી બનશે.

આ પણ વાંચો - કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે વધતા કોરોના કેસ અંગે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

17 માર્ચથી કરફ્યૂ લાગુ

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચ, 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ, 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રિના 12થી સવારે 6 કલાક સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

શહેરમાં ST બસને પણ નહીં મળે પ્રવેશ

આ પણ વાંચો - કોરોના સંક્રમણ ફેલાશે તો શિવજી જવાબદાર: પ્રધાન યોગેશ પટેલ

10 કલાક બાદ ST બસ રિંગરોડ સુધી જ જશે

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ST વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ ચારેય શહેરોમાં 10 કલાક બાદ ST બસ પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ દરમિયાન 4 મહાનગરોના સિટી બસ ડેપો પણ બંધ રાખવામાં આવશે, જ્યારે કરફ્યૂ દરમિયાન તમામ ST બસો બાયપાસ દોડાવાશે અને યાત્રીઓને કરફ્યૂના સમય દરમિયાન સિટી ડેપોની ટિકિટ નહીં આપવામાં આવે અને બસોના રૂટ યથાવત રાખવામાં આવશે.

ST બસને પણ નહીં મળે પ્રવેશ

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી કારફયૂ લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે હવે ST વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ શહેરમાં 10 કલાક બાદ ST બસ પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ દરમિયાન 4 મહાનગરના સિટી બસ ડેપો બંધ રાખવામાં આવશે, જ્યારે કરફ્યૂ દરમિયાન તમામ ST બસ બાય પાસ દોડાવવામાં આવશે અને પ્રવાસીઓને કરફ્યૂ સમય દરમિયાન સિટી ડેપોની ટિકિટ નહીં આપવામાં આવે અને બસોના રૂટ યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો - વડોદરામાં કોરોનાના કેસોમાં વધારો, 24 કલાકમાં 23 લોકો SSG હોસ્પિટલમાં દાખલ

વેક્સિનેશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે: નીતિન પટેલ

રાત્રિ કરફ્યૂ અંગેની જાહેરાત થાય તે અગાઉ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને 4 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર્સને સૂચના આપવામાં આવી છે. કમિશનરોને યોગ્ય નિર્ણય લેવા માટે છૂટ પણ આપવામાં આવી છે. કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યૂ સિવાય અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કોરોના વેક્સિન લીધા બાદ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો એકાદ કિસ્સો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે વધુ 14.50 લાખ ડૉઝ મોકલ્યા છે. હાલ પૂરતા પ્રમાણમાં વેક્સિનેશનનો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, રાત્રે 10 વાગ્યા બાદ ST બસને પણ નો એન્ટ્રી

  • 17 માર્ચથી રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ
  • અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10થી કરફ્યૂનો અમલ થશે
  • એક પણ ST બસ હવે શહેરમાં નહીં પ્રવેશી શકે

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની બાદ કોરોનાનો કહેર સતત વધી રહ્યો હતો, ત્યારે દૈનિક 800 જેટલા પોઝિટિવ કેસ આવતા રાજ્ય સરકારના પેટનું પાણી હલતું છે અને હવે કરફ્યૂના સમયમાં વધારો કર્યો છે. આ પહેલા રાત્રે 12 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ 15 માર્ચના રોજ કરફયૂની મુદ્દત પૂરી થતાં હવે મંગળવારના રોજ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, હવે રાત્રે 10 કલાકથી સવારના 6 સુધી કરફ્યૂ અમલી બનશે.

આ પણ વાંચો - કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે વધતા કોરોના કેસ અંગે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

17 માર્ચથી કરફ્યૂ લાગુ

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચ, 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ, 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રિના 12થી સવારે 6 કલાક સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

શહેરમાં ST બસને પણ નહીં મળે પ્રવેશ

આ પણ વાંચો - કોરોના સંક્રમણ ફેલાશે તો શિવજી જવાબદાર: પ્રધાન યોગેશ પટેલ

10 કલાક બાદ ST બસ રિંગરોડ સુધી જ જશે

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ST વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ ચારેય શહેરોમાં 10 કલાક બાદ ST બસ પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ દરમિયાન 4 મહાનગરોના સિટી બસ ડેપો પણ બંધ રાખવામાં આવશે, જ્યારે કરફ્યૂ દરમિયાન તમામ ST બસો બાયપાસ દોડાવાશે અને યાત્રીઓને કરફ્યૂના સમય દરમિયાન સિટી ડેપોની ટિકિટ નહીં આપવામાં આવે અને બસોના રૂટ યથાવત રાખવામાં આવશે.

ST બસને પણ નહીં મળે પ્રવેશ

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી કારફયૂ લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે હવે ST વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ શહેરમાં 10 કલાક બાદ ST બસ પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ દરમિયાન 4 મહાનગરના સિટી બસ ડેપો બંધ રાખવામાં આવશે, જ્યારે કરફ્યૂ દરમિયાન તમામ ST બસ બાય પાસ દોડાવવામાં આવશે અને પ્રવાસીઓને કરફ્યૂ સમય દરમિયાન સિટી ડેપોની ટિકિટ નહીં આપવામાં આવે અને બસોના રૂટ યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો - વડોદરામાં કોરોનાના કેસોમાં વધારો, 24 કલાકમાં 23 લોકો SSG હોસ્પિટલમાં દાખલ

વેક્સિનેશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે: નીતિન પટેલ

રાત્રિ કરફ્યૂ અંગેની જાહેરાત થાય તે અગાઉ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને 4 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર્સને સૂચના આપવામાં આવી છે. કમિશનરોને યોગ્ય નિર્ણય લેવા માટે છૂટ પણ આપવામાં આવી છે. કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યૂ સિવાય અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કોરોના વેક્સિન લીધા બાદ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો એકાદ કિસ્સો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે વધુ 14.50 લાખ ડૉઝ મોકલ્યા છે. હાલ પૂરતા પ્રમાણમાં વેક્સિનેશનનો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, રાત્રે 10 વાગ્યા બાદ ST બસને પણ નો એન્ટ્રી

Last Updated : Mar 16, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.