ETV Bharat / city

Bulldozer Slum Dwellers in Ahmedabad : સરખેજના ઝૂંપડવાસીઓ પર બુલડોઝર ફેરવ્યા બાદ કોંગ્રેસે રાજ્યપાલને આજીજી કરી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગરીબ ઝૂંપડાવાસીઓના ઘર (Bulldozer Slum Dwellers in Ahmedabad) દબાણને લઈને રાજ્યપાલને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યો છે. દીપક બાબરીયાએ આપેલા નિવેદન આપ્યું છે કે, 26 એપ્રિલના રોજ મામલતદાર દ્વારા અમોને સાંભળ્યા વગર અમારા ઝૂંપડાઓ પર બુલડોઝર (Ahmedabad Bulldozer Slum) ફેરવી દેવામાં આવ્યું છે.

author img

By

Published : May 7, 2022, 2:19 PM IST

Bulldozer Slum Dwellers in Ahmedabad : સરખેજના ઝૂંપડવાસીઓ પર બુલડોઝર ફેરવ્યા બાદ કોંગ્રેસે રાજ્યપાલને આજીજી કરી
Bulldozer Slum Dwellers in Ahmedabad : સરખેજના ઝૂંપડવાસીઓ પર બુલડોઝર ફેરવ્યા બાદ કોંગ્રેસે રાજ્યપાલને આજીજી કરી

ગાંધીનગર : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગરીબ ઝૂંપડાવાસીઓના (Bulldozer Slum Dwellers in Ahmedabad) ઘર પર રાજ્ય સરકાર દ્વારા દબાણના ભાગરૂપે જિલ્લામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક સી.જે ચાવડા અને દિપક બાબરીયાએ સ્થાનિકો સાથે મળી જાય તે અંગે રાજ્યપાલ આવેદનપત્ર આપ્યો છે. જે પત્રમાં ગરીબો પર થયેલા જુલમ અને તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની ફાળવણી અંગે આજીજીભરી અપીલ કરી હતી.

સરખેજના ઝૂંપડવાસીઓ પર બુલડોઝર ફેરવ્યા બાદ કોંગ્રેસે રાજ્યપાલને આજીજી કરી

કોર્ટનો સ્ટે, તેમ છતાં બુલડોઝર ફર્યું - આવેદનપત્ર આપીને દીપક (Congress Leader Deepak Babaria) બાબરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પચાસ વર્ષથી આ જગ્યા પર 51 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેમાં દેવીપુજક સમાજ, દલિત સમાજ અને વણઝારા સમાજના અનેક પરિવારો 50 વર્ષથી વધુ સમયથી તેઓ તે જગ્યા પર વસવાટ કરી રહ્યા છે. ત્યારે 26 એપ્રિલના રોજ મામલતદાર દ્વારા નોટિસ આપીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પરંતુ આ જગ્યા પર કોર્ટનો સ્ટે છે છતાં પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકાર આ તમામ પરિવારજનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છ ભૂકંપમાં મળેલા મકાન-આવાસમાં વસવાટ કરતાં પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય

આવાસ યોજનામાં જગ્યા આપવામાં આવે - બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત મુજબ દરેક ઝૂંપડાવાસીને 2022 સુધીમાં પાકા મકાનો આપવામાં આવનાર છે. રાજ્યમાં અમલમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (Mukhyamantri Awas Yojana Ahmedabad) હેઠળ પણ આ લોકો વૈકલ્પિક જગ્યાની ફાળવણી માટે પાત્રતા ધરાવીએ છીએ. વધુમાં ગુજરાત સરકારની છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર વસવાટ કરતા કુટુંબો માટે સ્થળ પર તેમને મકાન બનાવી આપવાની યોજના પણ વર્ષ 2016 માં જાહેર થયેલી છે. આમ છતાં અમારી વારંવાર અરજી છતાં અમોને જે તે પ્લોટ ઉપર અન્યથા બીજી જગ્યાએ વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર સીટી મામલતદાર વેજલપુર દ્વારા નોટિસ આપી અમોને સાંભળ્યા વગર અમારા ઝૂંપડાઓને ખાલી કરવાનો 26 એપ્રિલના રોજ હુકમ કરવામાં આવેલો હતો.

આ પણ વાંચો : Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો

કોર્ટમાં મેટર પેન્ડિગ - બાબરીયાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, મહેસુલ કાયદાની કલમ 202 હેઠળની ઝૂંપડા તોડી નાંખવાની નોટિસ આપ્યા વગર 28 એપ્રિલના રોજ અમારા 50 વર્ષ જૂના આવાસો પર બુલડોઝર ફેરવી (Ahmedabad Bulldozer Slum) તોડી નાંખી અમોને બંધ કરી દેવામાં આવેલા હતા. આવાસ યોજના હેઠળ વૈકલ્પિક જગ્યા આપ્યા સિવાય તોડવામાં ન આવે તેની અરજી દાખલ કરેલી. તેમજ કોર્ટ દ્વારા તળાવના વિકાસની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપેલી. પરંતુ ઝૂંપડાઓને તોડવા પર સ્ટે આપેલો હતો. આમ છતાં બેરહેમીથી અમો ગરીબ માણસોને બેઘર કરી દેવામાં આવ્યા છે. આ તાપ ગરમીમાં બાળ-બચ્ચા (Sarkhej slum dwellers) સાથે અમોને “ઉપર આભ – નીચે ધરતી" ની પરિસ્થિતિમાં મૂકી દીધેલા છે.

ગાંધીનગર : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગરીબ ઝૂંપડાવાસીઓના (Bulldozer Slum Dwellers in Ahmedabad) ઘર પર રાજ્ય સરકાર દ્વારા દબાણના ભાગરૂપે જિલ્લામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક સી.જે ચાવડા અને દિપક બાબરીયાએ સ્થાનિકો સાથે મળી જાય તે અંગે રાજ્યપાલ આવેદનપત્ર આપ્યો છે. જે પત્રમાં ગરીબો પર થયેલા જુલમ અને તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની ફાળવણી અંગે આજીજીભરી અપીલ કરી હતી.

સરખેજના ઝૂંપડવાસીઓ પર બુલડોઝર ફેરવ્યા બાદ કોંગ્રેસે રાજ્યપાલને આજીજી કરી

કોર્ટનો સ્ટે, તેમ છતાં બુલડોઝર ફર્યું - આવેદનપત્ર આપીને દીપક (Congress Leader Deepak Babaria) બાબરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પચાસ વર્ષથી આ જગ્યા પર 51 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેમાં દેવીપુજક સમાજ, દલિત સમાજ અને વણઝારા સમાજના અનેક પરિવારો 50 વર્ષથી વધુ સમયથી તેઓ તે જગ્યા પર વસવાટ કરી રહ્યા છે. ત્યારે 26 એપ્રિલના રોજ મામલતદાર દ્વારા નોટિસ આપીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પરંતુ આ જગ્યા પર કોર્ટનો સ્ટે છે છતાં પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકાર આ તમામ પરિવારજનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છ ભૂકંપમાં મળેલા મકાન-આવાસમાં વસવાટ કરતાં પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય

આવાસ યોજનામાં જગ્યા આપવામાં આવે - બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત મુજબ દરેક ઝૂંપડાવાસીને 2022 સુધીમાં પાકા મકાનો આપવામાં આવનાર છે. રાજ્યમાં અમલમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (Mukhyamantri Awas Yojana Ahmedabad) હેઠળ પણ આ લોકો વૈકલ્પિક જગ્યાની ફાળવણી માટે પાત્રતા ધરાવીએ છીએ. વધુમાં ગુજરાત સરકારની છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર વસવાટ કરતા કુટુંબો માટે સ્થળ પર તેમને મકાન બનાવી આપવાની યોજના પણ વર્ષ 2016 માં જાહેર થયેલી છે. આમ છતાં અમારી વારંવાર અરજી છતાં અમોને જે તે પ્લોટ ઉપર અન્યથા બીજી જગ્યાએ વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર સીટી મામલતદાર વેજલપુર દ્વારા નોટિસ આપી અમોને સાંભળ્યા વગર અમારા ઝૂંપડાઓને ખાલી કરવાનો 26 એપ્રિલના રોજ હુકમ કરવામાં આવેલો હતો.

આ પણ વાંચો : Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો

કોર્ટમાં મેટર પેન્ડિગ - બાબરીયાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, મહેસુલ કાયદાની કલમ 202 હેઠળની ઝૂંપડા તોડી નાંખવાની નોટિસ આપ્યા વગર 28 એપ્રિલના રોજ અમારા 50 વર્ષ જૂના આવાસો પર બુલડોઝર ફેરવી (Ahmedabad Bulldozer Slum) તોડી નાંખી અમોને બંધ કરી દેવામાં આવેલા હતા. આવાસ યોજના હેઠળ વૈકલ્પિક જગ્યા આપ્યા સિવાય તોડવામાં ન આવે તેની અરજી દાખલ કરેલી. તેમજ કોર્ટ દ્વારા તળાવના વિકાસની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપેલી. પરંતુ ઝૂંપડાઓને તોડવા પર સ્ટે આપેલો હતો. આમ છતાં બેરહેમીથી અમો ગરીબ માણસોને બેઘર કરી દેવામાં આવ્યા છે. આ તાપ ગરમીમાં બાળ-બચ્ચા (Sarkhej slum dwellers) સાથે અમોને “ઉપર આભ – નીચે ધરતી" ની પરિસ્થિતિમાં મૂકી દીધેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.