ETV Bharat / city

BJP Youth Wing program: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના યુવાનોને પાર્ટીમાં જોડવા માટે ભાજપ કરશે કાર્યક્રમો

author img

By

Published : Dec 1, 2021, 1:59 PM IST

કમલમ ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટની (Gujarat Pradesh Youth Front President Dr. Prashant Korat) અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની (Region General Secretary Ratnakarji) વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આગામી સમયમાં સંગઠનમાં વધુ યુવાનો જોડાયા તે હેતુથી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ યુવાનોને આગામી સમયમાં જોડવાના ઉદ્દેશ સાથે વિવિધ કાર્યક્રમો પણ આગામી કયારે યોજવા તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

BJP will hold programs to get the youth: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના યુવાનોને પાર્ટીમાં જોડવા માટે ભાજપ કરશે કાર્યક્રમો
BJP will hold programs to get the youth: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના યુવાનોને પાર્ટીમાં જોડવા માટે ભાજપ કરશે કાર્યક્રમો
  • યુવાનોને સંગઠનમાં કેવી રીતે જોડાવા તેના માટે કમલમ ખાતે યોજાઇ બેઠક
  • યુવા મોરચાના અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક
  • યુવાનોને આકર્ષવા માટે રાજ્યભરમાં થશે સંમેલનો

અમદાવાદ: 2022માં વિધાનસભાની ચૂંટણી (Assembly elections 2022) ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ યોજાવા જઈ રહી છે. ત્યારે સંગઠન દ્વારા યુવાનોને વધુ મજબૂત કરવા તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે હેતુથી કમલમ ખાતે બુધવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચાના અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મહામંત્રી, યુવા મોરચાની પ્રદેશ ટીમ, યુવા મોરચા સેલના કન્વીનર, જિલ્લાના પ્રભારી અને જિલ્લાના પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર મહિનામાં યુવાનોને પાર્ટીમાં જોડવા માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. તેની વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી હતી.

નવા યુવાનો, નવા મતદારોનું ભવ્ય સંમેલન યોજવામાં આવશે

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે (Gujarat Pradesh Youth Front President Dr. Prashant Korat) કહ્યું કે, નવા મતદાર નોંધણીના કાર્યક્રમો ગત મહિને થયા છે. ત્યારે આવા નવા યુવાનોને પાર્ટીમાં અને કામમાં જોડવા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંડળથી લઈને પ્રદેશના વિસ્તારક તરીકે નિકળશે. 25 ડિસેમ્બરે અટલ બિહારી બાજપેઈજીના જન્મદિવસે નિમિત્તે સમગ્ર દેશમાંથી 3500થી વધુ યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નીકળવાના છે. 12 તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે તમામ મંડળમાં નવા યુવાનો, નવા મતદારોનું ભવ્ય સંમેલન યોજવામાં આવશે. બધી જગ્યાએ 12 તારીખે એક સાથે આ સંમેલન યોજાશે. જાન્યુઆરી મહિનામાં 14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મિઠાઇ વિતરણના કાર્યક્રમમાં પણ કરાશે. 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રા તેમજ 23મી જાન્યુઆરી રક્તદાનના કાર્યક્રમો કરવામાં આવશે. આ પ્રકારના ભવિષ્યના કાર્યક્રમો માટેની બેઠક યોજવામાં આવી હતી. આગામી સમયમાં નવા યુવાનો પાર્ટીમાં જોડાય તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ કામે લાગી જશે.

આ પણ વાંચો: સરકારને ખેતીમાં રસ નથી, ઉદ્યોગો માટે રાતોરાત સરકારી જમીનની કરાઈ રહી છે ફાળવણી: કોંગ્રેસ

સેવા અને સમર્પણના કાર્યક્રમોમાં પણ યુવા મોરચાએ સારી કામગીરી નિભાવી

આ અંગે વધુમાં જણાવતાં યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કહ્યું કે, જે રીતે યુવાનોએ કોરોના સમયમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં કામ કર્યું છે તે સરાહનીય છે. ઉપરાંત જિલ્લાના મહાનગરના મંડળના કાર્યક્રમો થયા હતા કોરોનાના કપરા સમયમાં 40,000 જેટલી બ્લડ બોટલ એકત્રીત કરવામાં આવી હતી. ત્યાર પછી સેવા અને સમર્પણના કાર્યક્રમોમાં પણ યુવા મોરચાએ સારી કામગીરી નિભાવી હતી. સાથે કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરીયર્સના સન્માનના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ખોડલધામ મંદિરમાં ભાજપના નેતાઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા

  • યુવાનોને સંગઠનમાં કેવી રીતે જોડાવા તેના માટે કમલમ ખાતે યોજાઇ બેઠક
  • યુવા મોરચાના અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક
  • યુવાનોને આકર્ષવા માટે રાજ્યભરમાં થશે સંમેલનો

અમદાવાદ: 2022માં વિધાનસભાની ચૂંટણી (Assembly elections 2022) ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ યોજાવા જઈ રહી છે. ત્યારે સંગઠન દ્વારા યુવાનોને વધુ મજબૂત કરવા તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે હેતુથી કમલમ ખાતે બુધવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચાના અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મહામંત્રી, યુવા મોરચાની પ્રદેશ ટીમ, યુવા મોરચા સેલના કન્વીનર, જિલ્લાના પ્રભારી અને જિલ્લાના પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર મહિનામાં યુવાનોને પાર્ટીમાં જોડવા માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. તેની વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી હતી.

નવા યુવાનો, નવા મતદારોનું ભવ્ય સંમેલન યોજવામાં આવશે

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે (Gujarat Pradesh Youth Front President Dr. Prashant Korat) કહ્યું કે, નવા મતદાર નોંધણીના કાર્યક્રમો ગત મહિને થયા છે. ત્યારે આવા નવા યુવાનોને પાર્ટીમાં અને કામમાં જોડવા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંડળથી લઈને પ્રદેશના વિસ્તારક તરીકે નિકળશે. 25 ડિસેમ્બરે અટલ બિહારી બાજપેઈજીના જન્મદિવસે નિમિત્તે સમગ્ર દેશમાંથી 3500થી વધુ યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નીકળવાના છે. 12 તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે તમામ મંડળમાં નવા યુવાનો, નવા મતદારોનું ભવ્ય સંમેલન યોજવામાં આવશે. બધી જગ્યાએ 12 તારીખે એક સાથે આ સંમેલન યોજાશે. જાન્યુઆરી મહિનામાં 14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મિઠાઇ વિતરણના કાર્યક્રમમાં પણ કરાશે. 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રા તેમજ 23મી જાન્યુઆરી રક્તદાનના કાર્યક્રમો કરવામાં આવશે. આ પ્રકારના ભવિષ્યના કાર્યક્રમો માટેની બેઠક યોજવામાં આવી હતી. આગામી સમયમાં નવા યુવાનો પાર્ટીમાં જોડાય તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ કામે લાગી જશે.

આ પણ વાંચો: સરકારને ખેતીમાં રસ નથી, ઉદ્યોગો માટે રાતોરાત સરકારી જમીનની કરાઈ રહી છે ફાળવણી: કોંગ્રેસ

સેવા અને સમર્પણના કાર્યક્રમોમાં પણ યુવા મોરચાએ સારી કામગીરી નિભાવી

આ અંગે વધુમાં જણાવતાં યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કહ્યું કે, જે રીતે યુવાનોએ કોરોના સમયમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં કામ કર્યું છે તે સરાહનીય છે. ઉપરાંત જિલ્લાના મહાનગરના મંડળના કાર્યક્રમો થયા હતા કોરોનાના કપરા સમયમાં 40,000 જેટલી બ્લડ બોટલ એકત્રીત કરવામાં આવી હતી. ત્યાર પછી સેવા અને સમર્પણના કાર્યક્રમોમાં પણ યુવા મોરચાએ સારી કામગીરી નિભાવી હતી. સાથે કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરીયર્સના સન્માનના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ખોડલધામ મંદિરમાં ભાજપના નેતાઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.