ગાંધીનગર: કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે 15 ઓક્ટોબરથી તમામ અભ્યારણ ખોલવાની તૈયારી દર્શાવી છે. 15 ઓક્ટોબરે અભ્યારણની અંદરની વ્યવસ્થાની સમીક્ષા થશે ત્યારબાદ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓને અંદર જવાની પરવાનગી રાજ્ય સરકાર આપશે. રાજ્યમાં આવેલા આ અભયારણ્યમાં પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવી ફરજિયાત છે. ત્યારબાદ જ અભ્યારણમાં પ્રવેશ મળશેે. સ્થળ ઉપર ટિકિટ નહીં આપવાની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્યના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત - ઓનલાઈન રજિસ્ટ્રેશન
કોરોના મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ ફરવાના સ્થળો પર પ્રતિબંધ મુકી દીધો હતો. પણ હવે જેમ જેમ અનલૉક થવા લાગ્યું તેમ તેમ સરકાર દ્વારા અમુક વિસ્તાર પરથી પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે. હવે વારો અભ્યારણોનો આવ્યો છે. કેન્દ્ર સરકારે અભ્યારણો પર પ્રતિબંધ હટાવતા હવે રાજ્યમાં ગીર જંગલ, સફારી પાર્ક સહિતના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલ્લા મુકવામાં આવશે. જોકે આના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.
રાજ્યના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
ગાંધીનગર: કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે 15 ઓક્ટોબરથી તમામ અભ્યારણ ખોલવાની તૈયારી દર્શાવી છે. 15 ઓક્ટોબરે અભ્યારણની અંદરની વ્યવસ્થાની સમીક્ષા થશે ત્યારબાદ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓને અંદર જવાની પરવાનગી રાજ્ય સરકાર આપશે. રાજ્યમાં આવેલા આ અભયારણ્યમાં પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવી ફરજિયાત છે. ત્યારબાદ જ અભ્યારણમાં પ્રવેશ મળશેે. સ્થળ ઉપર ટિકિટ નહીં આપવાની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.