ETV Bharat / city

ભાવનગરમાં અનૈતિક સંબંધને કારણે કરાઈ હત્યા, ઘટના CCTVમાં કેદ

ભાવનગર: શહેરમાં અનૈતિક સંબંધોને મામલે હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

author img

By

Published : Oct 25, 2019, 6:56 AM IST

ભાવનગરમાં આડા સબંધને મામલે હત્યા

ભાવનગરમાં ગુરૂવાર રાતે એક યુવાનની અનૈતિક સંબંધને મામલે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના સત્યનારાયણ રોડ પર આવેલી મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા રાજુ ઉર્ફે અજય મકવાણા નામના યુવાનને અશોક ખીમાણીયા નામના ઇસમે છરીના જીવલેણ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી છે. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે ગણતરીની મિનીટોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં આડા સબંધને મામલે હત્યા

અનૈતિક સંબંધના કારણે અગાઉ પણ અનેક હત્યાની ઘટનાઓ બની છે, ત્યારે ગુરૂવાર રાતે આ કડીમાં વધુ ઘટના જોડાઇ છે. શહેરના સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા અજય મકવાણાને આરોપી અશોક ખીમાણીયાએ ઉગ્ર બોલાચાલી બાદ પેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. આ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ CCTV તપાસીને પોલીસે મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

ભાવનગરમાં ગુરૂવાર રાતે એક યુવાનની અનૈતિક સંબંધને મામલે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના સત્યનારાયણ રોડ પર આવેલી મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા રાજુ ઉર્ફે અજય મકવાણા નામના યુવાનને અશોક ખીમાણીયા નામના ઇસમે છરીના જીવલેણ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી છે. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે ગણતરીની મિનીટોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં આડા સબંધને મામલે હત્યા

અનૈતિક સંબંધના કારણે અગાઉ પણ અનેક હત્યાની ઘટનાઓ બની છે, ત્યારે ગુરૂવાર રાતે આ કડીમાં વધુ ઘટના જોડાઇ છે. શહેરના સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા અજય મકવાણાને આરોપી અશોક ખીમાણીયાએ ઉગ્ર બોલાચાલી બાદ પેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. આ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ CCTV તપાસીને પોલીસે મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : એવીબી

ભાવનગરમાં ગત રાત્રીના એક યુવાનની આડાસંબંધો મામલે હત્યા કરી નાખવાની ઘટના બનવા પામી છે. જેમાં શહેરના સત્યનારાયણ રોડ પર આવેલી મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા રાજુ ઉર્ફે અજય મકવાણા નામના યુવાનને અશોક ખીમાણીયા નામના ઇસમે દુકાનની અંદર અને બાદમાં બહાર લાવી છરીના ઘા જીવલેણ ઘા પેટના ભાગે ઝીકી દઈ ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી જયારે પોલીસે ગણતરીની મીનીટોમાં આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.Body:આડાસંબંધોનો અંજામ હંમેશા ખરાબ જ હોય છે. આડાસંબધો મામલે અગાઉ પણ અનેક હત્યાની ઘટનાઓ બનવા પામી છે ત્યારે વધુ એક આડાસંબંધ મામલે હત્યાની ઘટના ગત રાત્રીના ભાવનગર શહેરમાં બનવા પામી હતી. જેમાં શહેરના સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતા રાજુ ઉર્ફે અજય મકવાણા કે જે રાત્રીના દુકાનમાં હોય ત્યારે અગાઉથી જ હત્યાના ઈરાદે છરી સાથે પહોચેલા અશોક ખીમાણીયા નામના યુવાને ઉગ્ર બોલાચાલી કરી દુકાનમાં છરી વડે હુમલો કર્યો હતો. હુમલાથી દુકાન માલિક અને અન્ય ઇસમ ગભરાઈને બહાર દોડી ગયા હતા જયારે અજય પણ દુકાનમાંથી બહાર નીકળતા અશોકે તેને પેટ અને પડખાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. જયારે આ બનાવના સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી અને લાશને પીએમ માટે મોકલી આપી આરોપીને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પોલીસે ગણતરીની મીનીટોમાં આરોપી અશોકને ઝડપી પાડી સમગ્ર ઘટના મામલે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.Conclusion:આ હત્યા આડાસંબંધ મામલે થઇ હોય જેથી પોલીસે આ બનાવમાં મરણજનારના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈટ: મનીષ ઠાકર (ડીવાયએસપી-ભાવનગર.)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.