ETV Bharat / city

ભાવનગરીઓને શરદપૂર્ણિમાએ ઊંધિયું પડ્યું ફિક્કું : શાકભાજી અને તેલના ભાવથી ભાવ અધ ધ ધ

ભાવનગર શહેરમાં ઊંધીયાની મજા લેવાનું શરદપૂર્ણિમાએ લોકો ચૂકતા નથી. તેલના ભાવ અને શાકભાજીના ભાવ આસમાને હોવાથી એક સમયે 50 રૂપિયાનું મળતું ઊંધિયું આજે 320 રૂપિયાનું કિલો વેહચાઇ રહ્યું છે. ભવનગરના લોકો સ્વાદપ્રિય હોવાથી ઊંધીયાની મજા લૂંટવાનું ચૂકતા નથી. શહેરમાં એક દિવસમાં આશરે 500 કિલો ઊંધિયું ઝાપટી જતા હશે. માનવામાં આવે છે કે દોઢ કરોડથી વધુનું ઊંધિયું લોકો આરોગે છે.

author img

By

Published : Oct 20, 2021, 3:53 PM IST

UNDHIYU
UNDHIYU
  • ભાવનગરમાં શરદપૂર્ણિમાએ ઊંધિયું મોંઘું દાટ બનતા લોકોનો સ્વાદ ફિકો પડ્યો
  • બે વર્ષ પહેલાં 140 વહેચાતું ઊંધિયું આજે 250થી 320નું કિલો થયું
  • શરદપૂર્ણિમાએ ભાવેણાવાસીઓ અંદાજે 500 કિલો જેટલુ ઝાપટે છે ઊંધિયું
  • તેલના ભાવ અને લીલા શાકભાજી 100 કિલોએ પોહચતા ઊંધિયું મોંઘું થયું

ભાવનગર શહેરમાં શરદપૂનમ નિમિતે મોંઘવારીમાં પણ ઊંધીયાની રમઝટ થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં તેલના ભાવ અને શાકભાજીના ભાવને પગલે ઊંધિયું પણ આસમાને છે. ઊંધીયા સાથે દહીવડાની મજા લેવાનું ભાવેણાવાસી ચૂકતા નથી. મોંઘવારી વચ્ચે પણ શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં ભાવનગરની પ્રજા પાછી પડતી નથી.

આ પણ વાંચો: દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો છે ઇતિહાસ, જાણો ખાસિયત...

ઊંધિયું સૌથી ઊંચી ટોચના ભાવે પહોચ્યું શરદપૂર્ણિમાના ખાસ દિવસે
નવલા નોરતા બાળનો તહેવાર એટલે શરદપૂર્ણિમા કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં શરદપૂર્ણિમાએ કોઇને કોઈ ખાણીપીણી પ્રખ્યાત હોઈ છે ત્યારે ભાવનગર ગુજરાતથી ઊલટું છે એટલે કે આજે ઊંધિયું ભાવનગરનું ફેવરિટ છે. ઊંધીયુ આજથી 10 વર્ષ પહેલાં 50 થી 60 રૂપિયે કિલો હતું. પરંતુ વિશ્વમાં આવતી આર્થિક કટોકટીમાં વધતી મોંઘવારીમાં ઊંધિયું આજે શરદપૂર્ણિમાએ તેની સૌથી ઊંચી ટોચ પર છે. મોંઘવારીએ મુકેલી માજાને પગલે ઊંધીયાના ભાવ 240થી લઈને 320 સુધી છે લોકો થોડું પણ લઈને ઊંધિયું અને દહીવડાના સથવારે શરદપૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે.

ભાવનગરીઓને શરદપૂર્ણિમાએ ઊંધિયું પડ્યું ફિક્કું :

આ પણ વાંચો:સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ

ઊંધિયું કેટલુ આરોગશે અને કેટલાની અંદાજે કિંમતનું ઊંધિયું અને કેમ મોંઘું?
ભાવનગરમાં ઊંધીયાનો પ્રારંભ અંદાજે 1956 આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે શરદપૂર્ણિમાએ ઊંધિયું અને દહીવડાની પરંપરાનો એક ચીલો પડ્યો જે આજે પણ યથાવત છે. આશરે 150 થી વધુ દુકાનો રજીસ્ટર્ડ છે જ્યારે માંડવા નાખીને પણ આજે ઊંધિયું વહેચાય છે. આમ જોવા જઈએ તો 250થી 300 સ્થળોએ અંદાજે 500 કિલો આસપાસ ઊંધિયું ભાવેણાવાસી ઝાપટી જાય છે. અનુમાન લગાવવામાં આવે છે કે આશરે દોઢ કરોડનું ઊંધિયું લોકો આરોગે છે અને તેનાથી વધતું હોઈ તો નવાઈ નહિ. ઊંધિયું ઓલ હાઈ સપાટીએ છે તેનું કારણ શાકભાજીના ભાવ છે તુવેર, વાલોર, ટામેટા સહિતના શાકભાજીના ભાવ કિલોના 100થી પણ ઉપર છે તો તેલ 2600 સુધી પોહચી ગયું છે. બે વર્ષ પહેલાં 140 આસપાસ વહેચાતું ઊંધિયું આજે 250થી 320 સુધીમાં કિલો વેહચાઈ રહ્યું છે.

  • ભાવનગરમાં શરદપૂર્ણિમાએ ઊંધિયું મોંઘું દાટ બનતા લોકોનો સ્વાદ ફિકો પડ્યો
  • બે વર્ષ પહેલાં 140 વહેચાતું ઊંધિયું આજે 250થી 320નું કિલો થયું
  • શરદપૂર્ણિમાએ ભાવેણાવાસીઓ અંદાજે 500 કિલો જેટલુ ઝાપટે છે ઊંધિયું
  • તેલના ભાવ અને લીલા શાકભાજી 100 કિલોએ પોહચતા ઊંધિયું મોંઘું થયું

ભાવનગર શહેરમાં શરદપૂનમ નિમિતે મોંઘવારીમાં પણ ઊંધીયાની રમઝટ થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં તેલના ભાવ અને શાકભાજીના ભાવને પગલે ઊંધિયું પણ આસમાને છે. ઊંધીયા સાથે દહીવડાની મજા લેવાનું ભાવેણાવાસી ચૂકતા નથી. મોંઘવારી વચ્ચે પણ શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં ભાવનગરની પ્રજા પાછી પડતી નથી.

આ પણ વાંચો: દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો છે ઇતિહાસ, જાણો ખાસિયત...

ઊંધિયું સૌથી ઊંચી ટોચના ભાવે પહોચ્યું શરદપૂર્ણિમાના ખાસ દિવસે
નવલા નોરતા બાળનો તહેવાર એટલે શરદપૂર્ણિમા કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં શરદપૂર્ણિમાએ કોઇને કોઈ ખાણીપીણી પ્રખ્યાત હોઈ છે ત્યારે ભાવનગર ગુજરાતથી ઊલટું છે એટલે કે આજે ઊંધિયું ભાવનગરનું ફેવરિટ છે. ઊંધીયુ આજથી 10 વર્ષ પહેલાં 50 થી 60 રૂપિયે કિલો હતું. પરંતુ વિશ્વમાં આવતી આર્થિક કટોકટીમાં વધતી મોંઘવારીમાં ઊંધિયું આજે શરદપૂર્ણિમાએ તેની સૌથી ઊંચી ટોચ પર છે. મોંઘવારીએ મુકેલી માજાને પગલે ઊંધીયાના ભાવ 240થી લઈને 320 સુધી છે લોકો થોડું પણ લઈને ઊંધિયું અને દહીવડાના સથવારે શરદપૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે.

ભાવનગરીઓને શરદપૂર્ણિમાએ ઊંધિયું પડ્યું ફિક્કું :

આ પણ વાંચો:સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ

ઊંધિયું કેટલુ આરોગશે અને કેટલાની અંદાજે કિંમતનું ઊંધિયું અને કેમ મોંઘું?
ભાવનગરમાં ઊંધીયાનો પ્રારંભ અંદાજે 1956 આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે શરદપૂર્ણિમાએ ઊંધિયું અને દહીવડાની પરંપરાનો એક ચીલો પડ્યો જે આજે પણ યથાવત છે. આશરે 150 થી વધુ દુકાનો રજીસ્ટર્ડ છે જ્યારે માંડવા નાખીને પણ આજે ઊંધિયું વહેચાય છે. આમ જોવા જઈએ તો 250થી 300 સ્થળોએ અંદાજે 500 કિલો આસપાસ ઊંધિયું ભાવેણાવાસી ઝાપટી જાય છે. અનુમાન લગાવવામાં આવે છે કે આશરે દોઢ કરોડનું ઊંધિયું લોકો આરોગે છે અને તેનાથી વધતું હોઈ તો નવાઈ નહિ. ઊંધિયું ઓલ હાઈ સપાટીએ છે તેનું કારણ શાકભાજીના ભાવ છે તુવેર, વાલોર, ટામેટા સહિતના શાકભાજીના ભાવ કિલોના 100થી પણ ઉપર છે તો તેલ 2600 સુધી પોહચી ગયું છે. બે વર્ષ પહેલાં 140 આસપાસ વહેચાતું ઊંધિયું આજે 250થી 320 સુધીમાં કિલો વેહચાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.