અમદાવાદઃ 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ(World Theater Day) એક યોગાનુયોગ છે. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને એના સાથે મળી વાળુ કરવાનો એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ (Award by Vichar Trust and Vishala )સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ સમારંભનું આયોજન - વિશ્વરંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ નિમિત્તે કલાકારો માટેનું એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીની જીવન યાત્રા સંદર્ભે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું સંબોધન
શાહબુદ્દીન રાઠોડ દ્વારા કલાકારોનું સન્માન - ત્યારે સમારંભ કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા (Padma Shri Shahbuddin Rathore)કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રક્ષાબહેન નાયક, મહેશભાઈ વૈદ્ય, સિરાજ રંગવાલા, હશમુખભાઈ ભાવસાર, સનત વ્યાસ, શરદભાઈ વ્યાસ, લીલીબહેન પટેલ, ફિરોજ ઈરાની, જનાર્દન ત્રિવેદી, અભિષેક શાહ, તર્જનીબહેન ભાડલા, જશ ઠક્કર જેવા નામાંકિત કલાકારો શામેલ છે.
એવોર્ડ સમારંભમાં ખ્યાતનામ કલાકારોએ હાજરી આપી - જ્યારે શાહબુદ્દીન રાઠોડે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ એ ખૂબ જ સારો છે ત્યારે આવા ટ્રસ્ટ દ્વારા નાટ્યકલા તેમજ પૌરાણિક બાબતોને ઉજાગર કરીને જીવંત રાખવાનું કામ કરવામાં આવે છે. ત્યારે એવોર્ડ સમારંભમાં ખ્યાતનામ કલાકારોએ હાજરી આપી છે.
આ પણ વાંચોઃ Lata Mangeshkar Passed Away : કલાકાર શાહબુદ્દીન રાઠોડે લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી