અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું કે, અમદાવાદની 143મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવી જોઈતી હતી. રથયાત્રા નહીં નીકળતાં કરોડો હિન્દુઓનું અપમાન થયું છે. કોરોના ન ફેલાય અને પરંપરા સચવાય તે શક્ય હતું. બે કલાક કર્ફ્યૂનું એલાન કરીને પણ શહેરમાં રથયાત્રા નીકળી શકી હોત.
શું અમદાવાદમાં ફરી રથયાત્રા નીકળશે? - Praveen Togadia
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અમદાવાદમાં નીકળી ન શકે તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. પહેલાં તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પત્રકારો સમક્ષ રથ મંદિરની બહાર ન નીકળી શકવા બળાપો ઠાલવ્યો હતો. ત્યારબાદ હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મોટું નિવેદન આપ્યું છે.
શું અમદાવાદમાં ફરી રથયાત્રા નીકળશે?
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું કે, અમદાવાદની 143મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવી જોઈતી હતી. રથયાત્રા નહીં નીકળતાં કરોડો હિન્દુઓનું અપમાન થયું છે. કોરોના ન ફેલાય અને પરંપરા સચવાય તે શક્ય હતું. બે કલાક કર્ફ્યૂનું એલાન કરીને પણ શહેરમાં રથયાત્રા નીકળી શકી હોત.