અમદાવાદઃ જીએસઆરટીસીની આ બસો સંપૂર્ણ એસીથી સજ્જ અને આરામદાયક હોય છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસોમાં વાઇફાઇ અને ટેલિવિઝન પણ હોય છે. સામાન્ય બસો કરતા તેમાં ટિકિટના દર ઊંચા હોય છે. જોકે ભાડું પોસાય તેવા લોકો પણ રાજ્યના અન્ય શહેરોમાં જવા માટેની લાંબા અતંરના પ્રવાસમાં આ બસોમાં મળતી સુવિધાઓના પગલે પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોય છે. કોરોના પેનડેમિકની સ્થિતિ પહેલાં પણ આ બસો ઠીકઠીક પ્રવાસીઓ લાભ લઇ રહ્યાં હતાં.
આજે એસ.ટી.વિભાગની વધુ 40 પ્રીમિયમ બસો દોડી, પ્રવાસીઓનો મોળો પ્રતિસાદ જો કે એસટી વિભાગે જણાવ્યું હતું કે, પ્રીમિયમ બસોને સારો પ્રતિસાદ મળતાં વધુ 40 બસો શરૂ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદના નહેરુનગરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં પેસેન્જરોની પાંખી હાજરી જોવા મળી હતી. 189માંથી 80 બસો શરૂ થઈ છે. જે 60% કેપેસિટી સાથે ચાલશે અને તેમાં કોરોના વાયરસના સંક્રમણને નિવારવા માટે તમામ પ્રકારના પગલાં પણ લેવામાં આવશે.આજે એસ.ટી.વિભાગની વધુ 40 પ્રીમિયમ બસો દોડી, પ્રવાસીઓનો મોળો પ્રતિસાદ