ETV Bharat / city

લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી

author img

By

Published : Jul 27, 2020, 2:51 PM IST

કોરોના મહામારીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો લૉકડાઉન ગેરકાયદે અને ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જે.બી. પારડીવાલાની ખંડપીઠે માન્ય રાખી છે. આ મામલે વધુ સુનાવણી 28મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી
લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર વિશ્વાસ ભામબુરકર તરફે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એ ગેરબંધારણીય છે. બંધારણમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં લૉકડાઉન જેવા શબ્દનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સત્તાધીશો દ્વારા લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે સામાન્ય નાગરિકોના બંધારણના અનુચ્છેદ 14 અને 19નું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી
લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી
લૉકડાઉનને લીધે 65 વર્ષથી વધુ વયના લોકો, બાળકો અને સામાન્ય નાગરિકો તેમના ઘરમાં જ રહેવા મજબૂર બન્યાં હતાં. સત્તાધીશો દ્વારા લેવાયેલા લૉકડાઉનના નિણર્યને લીધે વગર કોઈ ગુના નાગરિકોને તેમના ઘરમાં જ નજરકેદ થવું પડ્યું હતું. અત્યારે પણ સાંજના 9 થી સવાર 7 વાગ્યે સુધી કરફ્યુ લાદવામાં આવ્યું છે જે બંધારણના અનુછેદ 19 પર તરાપ છે. લૉકડાઉનના આદેશ પ્રમાણે દુકાનોને ખોલવા અને બંધ કરવા મુદ્દે જે નિર્દેશ આપવામાં આવ્યાં છે તેના પર સ્ટે આપવામાં આવે તેવી માગ કરી હતી.
લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી

નોંધનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં જનતા કરફ્યુ બાદ 21 દિવસ લૉકડાઉન જારી કર્યું હતું અને ત્યારપછી સળંગ 4 વખત લૉકડાઉન લંબાવ્યું છે. લૉકડાઉનને લીધે શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ઘરે જતી વખતે મૃત્યુ પણ પામ્યાં હતાં.

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર વિશ્વાસ ભામબુરકર તરફે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એ ગેરબંધારણીય છે. બંધારણમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં લૉકડાઉન જેવા શબ્દનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સત્તાધીશો દ્વારા લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે સામાન્ય નાગરિકોના બંધારણના અનુચ્છેદ 14 અને 19નું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી
લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી
લૉકડાઉનને લીધે 65 વર્ષથી વધુ વયના લોકો, બાળકો અને સામાન્ય નાગરિકો તેમના ઘરમાં જ રહેવા મજબૂર બન્યાં હતાં. સત્તાધીશો દ્વારા લેવાયેલા લૉકડાઉનના નિણર્યને લીધે વગર કોઈ ગુના નાગરિકોને તેમના ઘરમાં જ નજરકેદ થવું પડ્યું હતું. અત્યારે પણ સાંજના 9 થી સવાર 7 વાગ્યે સુધી કરફ્યુ લાદવામાં આવ્યું છે જે બંધારણના અનુછેદ 19 પર તરાપ છે. લૉકડાઉનના આદેશ પ્રમાણે દુકાનોને ખોલવા અને બંધ કરવા મુદ્દે જે નિર્દેશ આપવામાં આવ્યાં છે તેના પર સ્ટે આપવામાં આવે તેવી માગ કરી હતી.
લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી

નોંધનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં જનતા કરફ્યુ બાદ 21 દિવસ લૉકડાઉન જારી કર્યું હતું અને ત્યારપછી સળંગ 4 વખત લૉકડાઉન લંબાવ્યું છે. લૉકડાઉનને લીધે શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ઘરે જતી વખતે મૃત્યુ પણ પામ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.