ETV Bharat / city

3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, હાઈકોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

author img

By

Published : Dec 27, 2019, 9:11 PM IST

Updated : Dec 27, 2019, 11:21 PM IST

સુરત: ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કેસને રેરેસ્ટ ઓફ રેસ્ટ ગણી શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદી અને એ.સી. રાવની ખંડપીઠે 22 વર્ષીય આરોપી અનિલ યાદવની ફાંસીની સજાને યથાવત રાખ્યા હોવાની વિગતો સામે આવી છે.

surat
સુરત

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં આરોપીને કોઈપણ પ્રકારની રાહત ન આપતાં આરોપીને ફાંસીની સજા યથાવત રાખી છે. વર્ષ 2018માં સુરતના લિંબાયત વિસ્તારમાં માસુમ બાળકી સાથે આઘાતજનક કિસ્સો બન્યો હતો. સુરતની ટ્રાયલ કોર્ટે કેસમાં ચાર્જ ફ્રેમ થયાના 5 મહિનામાં જ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. અરજદાર અનિલ યાદવ દ્વારા નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતી અરજી મુદે સરકારે 4 મહિનામાં જ પુરતા પુરાવા અને દસ્તાવેજ રજૂ કરતા તેને આધાર માનીને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તેમજ આરોપી પર માસુમ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, દુષ્કર્મ અને પુરાવા નષ્ટ કરવાના ગંભીર ગુનો દાખલ કરાયો હતો.

સુરત

28મી ઓક્ટોબર 2018ની સાંજે બાળકી પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી. તેનો શબ આગલા દિવસે યાદવના ઘરમાંથી મળ્યો હતો. શબને પ્લાસ્ટીકની બેગમાં મૂકવામાં આવ્યો હતો. યાદવ છોકરીને શોધવા ગયો હતો. જો કે, બાદમાં ભાગી છુટયો હતો. તેમજ તેનું ઘર પણ અંદરથી લોક હતું. આ પીડિત બાળકીનું પરિવાર અને આરોપીનું પરિવાર એકજ બિલ્ડિંગમાં રહેતા હતા. દુષ્કર્મની ઘટના બાદ યાદવ પોતાના વતન બિહાર ભાગી છુટયો હતો. ત્યારબાદ 19મી ઓક્ટોબરે પોલીસે આરોપીને બિહારના બકસર જીલ્લામાંથી ધરપકડ કરી હતી.

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં આરોપીને કોઈપણ પ્રકારની રાહત ન આપતાં આરોપીને ફાંસીની સજા યથાવત રાખી છે. વર્ષ 2018માં સુરતના લિંબાયત વિસ્તારમાં માસુમ બાળકી સાથે આઘાતજનક કિસ્સો બન્યો હતો. સુરતની ટ્રાયલ કોર્ટે કેસમાં ચાર્જ ફ્રેમ થયાના 5 મહિનામાં જ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. અરજદાર અનિલ યાદવ દ્વારા નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતી અરજી મુદે સરકારે 4 મહિનામાં જ પુરતા પુરાવા અને દસ્તાવેજ રજૂ કરતા તેને આધાર માનીને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તેમજ આરોપી પર માસુમ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, દુષ્કર્મ અને પુરાવા નષ્ટ કરવાના ગંભીર ગુનો દાખલ કરાયો હતો.

સુરત

28મી ઓક્ટોબર 2018ની સાંજે બાળકી પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી. તેનો શબ આગલા દિવસે યાદવના ઘરમાંથી મળ્યો હતો. શબને પ્લાસ્ટીકની બેગમાં મૂકવામાં આવ્યો હતો. યાદવ છોકરીને શોધવા ગયો હતો. જો કે, બાદમાં ભાગી છુટયો હતો. તેમજ તેનું ઘર પણ અંદરથી લોક હતું. આ પીડિત બાળકીનું પરિવાર અને આરોપીનું પરિવાર એકજ બિલ્ડિંગમાં રહેતા હતા. દુષ્કર્મની ઘટના બાદ યાદવ પોતાના વતન બિહાર ભાગી છુટયો હતો. ત્યારબાદ 19મી ઓક્ટોબરે પોલીસે આરોપીને બિહારના બકસર જીલ્લામાંથી ધરપકડ કરી હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કેસને રેરેસ્ટ ઓફ રેસ્ટ ગણી શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદી અને એ.સી. રાવની ખંડપીઠે 22 વર્ષીય આરોપી અનિલ યાદવની ફાંસીની સજાને યથાવત રાખ્યા હોવાની વિગતો સામે આવી છે. Body:હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં આરોપીને કોઈપણ પ્રકારની રાહત ન આપતાં આરોપીને ફાંસીની સજા મૂકરર કરી છે. વર્ષ 2018માં સુરતના લિંબાયત વિસ્તારમાં માસુમ બાળકી સાથે આઘાતજનક કિસ્સો બન્યો હતો. સુરતની ટ્રાયલ કોર્ટે કેસમાં ચાર્જફ્રેમ થયાના 5 મહિનામાં જ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી - અરજદાર અનિલ યાદવ દ્વારા નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતી અરજી મુદે સરકારે 4 મહિનામાં જ પુરતા પુરાવવા અને દસ્તાવેજ રજુ કરતા તેને આધાર માનીને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપી પર માસુમ સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય, દુષ્કર્મ અને પુરાવવા નષ્ટ કરવાના ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
Conclusion:28મી ઓક્ટોબર 2018ની સાંજે બાળકી પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી. તેનો શબ આગલા દિવસે યાદવના ઘરમાંથી મળ્યો હતો. શબને પ્લાસ્ટીકની બેગમાં મૂકવામાં આવ્યો હતો. યાદવ છોકરીને શોધવા ગયો હતો જોકે બાદમાં ભાગી છુટયો હતો અને તેનો ઘર પણ અંદરથી લોક હતો. પીડિત બાળકીનું પરિવાર અને આરોપીનું પરિવાર એકજ બિલ્ડિંગમાં રહેતા હતા. દુષ્કર્મની ઘટના બાદ યાદવ પોતના વતન બિહાર ભાગી છુટયો હતો અને ત્યારબાદ 19મી ઓક્ટોબરના રોજ પોલીસે આરોપીને બિહારના બકસર જીલ્લામાંથી ધરપકડ કરી હતી.
Last Updated : Dec 27, 2019, 11:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.